• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : સમેજા હાજી રસીદ મામદ (કચ્છમિત્ર પ્રેસવાળા) (ઉ.વ. 78) તે સમેજા અબ્દુલ્લા હુસેન, મ. રજાક હુસેન, સમેજા સકુર (કચ્છમિત્રવાળા)ના ભાઇ, વર્યા ગફુર અને સમેજા આદમના સસરા, એહમદ સુમરા, રમજુ ભટ્ટી, કાસમ થેબા (અંજારવાળા), સમસુદ્દીન લાંગાયના સાળા, મુસ્તાક સુમરા (પાણી પુરવઠા)ના મામા, જમીલ, સુલતાન, અબ્દુલગની (મન્નત સ્ટુડિયો), સરફરાઝ, અબ્બાસના મોટા બાપા, વસીમ, અસનાદ,  નુયબના નાના, અઝીઝના નાનાજી સસરા તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-9-2024ના સવારે 10 કલાકે જૂના કચ્છમિત્ર પ્રેસ પાછળ, કેમ્પ એરિયા ભુજ ખાતે. 

ભુજ : ઈબ્રાહીમ અલીમામદ સમેજા (ઈભુ) મુંબઈ તે મ. અલીમામદ (ચાવીવાળા)ના પુત્ર, મ. હુશેન, સિધીક, યુસુફ (બાવા)ના ભાઈ, અસરફ (અછુબાવા), અસલમ, સુભાન (બંધેજ સ્ટુડિયો સેલ્સમેન)ના પિતા તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 19-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 જૂના કરછમિત્ર પાસે, સદર કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ બિબ્બરના જગદીશભાઇ માવજીભાઇ વડોર (ઉ.વ. 75) (નિવૃત્ત એ.એસ.આઇ.) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. વેલજીભાઇ માવજીભાઇ વડોર તથા ગં.સ્વ. લક્ષ્મીબેન, બબાબાઇ (અમૃતાબેન)ના ભાઇ, જયેશ, મનીષા, કમલેશના પિતા, શિવમ, યશ, ભૂમિના દાદા, ચેતન, સ્વ. હરેશ, મમલબેનના કાકા, લહેરીભાઇ ચત્રભોજ ગોરી (શિરવા)ના સસરા, કૃપાલી અને માનવના નાના, સ્વ. હીરજીભાઇ હરજીભાઇ કટારિયા (નિરોણા)ના જમાઇ તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના સાંજે 5થી 6 ઓધવ ભવન જનતા કોલોની, ભાનુશાલી વાડી, ગાંધીધામ ખાતે.

અંજાર : ગં.સ્વ. મંજુલાબેન પલણ (ઉ.વ. 71) તે સ્વ. રમણીકલાલ મંગલજી પલણના પત્ની, સ્વ. શામજીભાઇ મૂળજીભાઇ ભમરિયાના પુત્રી, દીપકભાઇ, જિગરભાઇ (સૂર્યા સ્ટોર્સ)ના માતા, ભારતીબેન દીપકભાઇ, રીટાબેન જિગરભાઇના સાસુ, સ્વ. કાનજીભાઈ મંગલજી, સ્વ. જગદીશભાઇ મંગલજી, વસંતભાઇ મંગલજી, સ્વ. અનુબેન માધવજીભાઇ રાવલિયા, ગં.સ્વ. પાર્વતીબેન નરોત્તમભાઇ ઠક્કરના ભાભી, ગં.સ્વ. જયાબેન કાનજીભાઇના દેરાણી, સ્વ. ચંદુબેન ગોવર્ધનદાસ સદલાણી, સ્વ. શારદાબેન કાંતિલાલ પોબારાના બહેન, પ્રિન્સી, ભદ્ર, જાહન્વી, દિયાના દાદી તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

નખત્રાણા : કોલી બાબુલાલ નારાણ (ઉ.વ. 48) તે સ્વ. રમીલાબેનના પતિ, રવજી, શારદાબેન, હેમલતાબેન તથા શૈલેષના પિતા, વાલબાઇ નારાણના પુત્ર તા. 7-9-2024ના અવસાન પામ્યા છે.

ભચાઉ : નારેજા ઈસ્માઈલભાઈ મોહમ્મદભાઈ (ઉ.વ. 56) તે સમીર, સોયબ, સાહિદના પિતા, મ. હાજી અબ્દુલભાઈ, અનવરભાઈ (માસ્ટર), ઈકબાલભાઈ (માસ્ટર)ના ભાઈ, હનીફભાઇ, અશરફભાઈ, આશીફભાઈ, ઈરફાનભાઈના કાકા અવસાન પામ્યા છે. જિયારત-તાજિયત તા. 19-9-2024ના ગુરુવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન શાળા નં. 7 પાછળ, હિંમતપુરા, ભચાઉ ખાતે.

માંડવી : રાયમા સાબેરાબેન તે મ. યાકુબ ફકીરમોહમદના પત્ની, મ. અભલા કારા (નાગલપુર)ના પુત્રી, રિઝવાન, નૌશાદના માતા, ધુલ્લા અબ્દુલા અને કુલસુમના બહેન, અલ્તાફ અદ્રેમાનના સાસુ, અલી અસગર અને મહેમૂદના ભાભી તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-9-2024ના શુક્રવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ડેરવાણ (જૂનાગઢ)ના જાનબાઇબેન કાનાભાઇ બકુત્રા (આહીર) (ઉ.વ. 88) તે ભોજાભાઇ કે. બકુત્રા (જ્ઞાનદીપ હાઇસ્કૂલ લોડાઇ-સુમરાસર અને અટલનગર શાળાના શિક્ષક)ના માતા, રશ્મિબેન (પદ્ધર પ્રા. શાળા, ભીડ શાળા નં. 3ના શિક્ષિકા)ના સાસુ, શેફાલી, દૃષ્ટિ અને ભવ્યના દાદી તા. 7-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાન આઇયાનગર-4, ગરબી ચોક, શ્રીજી વિદ્યાલય પાસે, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : નાનાલાલ ખીમજી વરુ (ઉ.વ. 82) તે  રસીલાબેનના પતિ, સ્વ. પાર્વતીબેન ખીમજી વરૂના પુત્ર, સ્વ. મણિબેન નારાણભાઇ પરમારના જમાઇ, સ્વ. રમકણીકભાઇ તથા ગં.સ્વ. ત્રિવેણીબેન દામજી પરમારના મોટા ભાઇ, ભારતીબેન નવીનભાઇ ચૌહાણ (અંજાર), રાજેશ વરૂ (ગેટકો-દયાપર), શીતલબેન નિકુંજભાઇ ચૌહાણ (પી.જી.વી.સી.એલ.-માધાપર)ના પિતા, સુશીલાબેનના સસરા, ભૂપેશભાઇ તથા હિતેષભાઇના મોટાબાપા, જૈનિશ અને યશના દાદા, હેમાલી, આદિત્ય, દિયાના નાના તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-9-2024ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

નિરોણા : પરમાબેન પરબતભાઇ નઝાર (ઉ.વ. 85) તે સ્વ. પરબતભાઇના પત્ની, સ્વ. આલાભાઇ દેવજીભાઇ બળગા (મખણા)ના પુત્રી, રામજી, દેવજી, ગાંગજી, કમીબેન નારાણ લેઉવા (સરલી), ડાઇબેન કરશન રોલા (સાંયરા-યક્ષ)ના માતા, સ્વ. પૂંજા વિરાના ભાભી, ખીમજી, દેવજી, સ્વ. કરશન, ખેતશી, જીવાબેન બાબુલાલ કુંવટ (ટોડિયા), વાલુબેન ભીમજી લેઉવા (સરલી)ના મોટામા, સ્વ. ડોસાભાઇ, સુમારભાઇ, સામત, સ્વ. રામજીના બહેન તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ બારસ તા. 23-9-2024ના સોમવારે સાંજે આગરી, તા. 24-9-2024ના મંગળવારે સવારે પાણીઆરો (ઘડાઢોળ) નિવાસસ્થાને નિરોણા?ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : દશરથસિંહ વેલુભા જાડેજા (ઉ.વ. 72) તે સ્વ. અજિતસિંહ વેલુભાના ભાઇ, પ્રવીણસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ, કિશોરસિંહ (કાનાભાઇ)ના પિતા તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-9-2024ના નિવાસસ્થાને તથા બેસણું દરબાર ડેલી, મોટી ખેડોઇ ખાતે.

મદનપુરા-કોડાય (તા. માંડવી) : હાલે બદલાપુર (થાણા-મહારાષ્ટ્ર) લક્ષ્મીબેન વસંતભાઇ રામજિયાણી (ઉ.વ. 71) તે સ્વ. વસંતભાઇ કાનજી રામજિયાણીના પત્ની, સુરેશભાઇ, જયશ્રીબેન, શારદાબેન, નિર્મળાબેન, ગીતાબેન, મીનાબેનના માતા, કાનજી દેવશી ધોળુ (દુર્ગાપુર)ના પુત્રી, સામજીભાઇ, પ્રેમજીભાઇ, અમૃતભાઇ, જવેરબેનના મોટા બહેન, જાગૃતિબેન, મોહનભાઇ, પરસોત્તમભાઇ, મગનભાઇ, નવીનભાઇ, ચંદુભાઇના સાસુ, સ્વ. જયંતીભાઇ, નારણભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, પાનુબેન, ચંચળબેન, રસીલાબેન, જવેરબેનના ભાભી, પુરીબેન, સુશીલબેન, હંસાબેનના જેઠાણી, ભવ્યના દાદી, પ્રભુલાલ, ઇશ્વરભાઈ, જ્યોત્સના, મિત્તલ, ગ્રિપેશ, દીપેન, ઝંખના, ભાવિનના મોટાબા તા. 17-9-2024ના બદલાપુર (મુંબઇ) મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 20-9-2024ના શુક્રવારે સવારે 8થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર હોલ, મદનપુરા ખાતે.

શીરવા (તા. માંડવી) : ગઢવી પુનશી મુરજી વાનરિયા (ઉ.વ. 81) તે દેવરાજભાઇ, રામભાઇ, ધનબાઇબેન, ડાહ્યાબેનના પિતા, સભાઇબેનના પતિ,  ખેતશીભાઇ (મોરબી), કમલાબેન (રાજસ્થાન), માલશ્રીબેનના ભાઇ,  મેહુલ, અર્જુન, આશિષ, મિતેશ, રાજના દાદા, સ્વ. કલ્યાણ અરજણ કાનાણી (કાઠડા)ના જમાઇ તા. 19-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20, 21-9-2024ના નિવાસસ્થાન શીરવા મધ્યે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 28-9-2024ના તે જ સ્થળે. 

લાખાપર (તા. મુંદરા) : મૂળ બોહા (તા. અબડાસા)ના ગોસ્વામી મોતીવન હરિવન (ઉ.વ. 95) તે હરખાબેનના પતિ, મહેશવન, ખુશાલવન, વિજયવન, ચંદ્રિકાબેનના પિતા, શંભુવન, ડાયાબાઇના ભાઇ, રેવાગર કરશનગર (હિંગરિયા)ના બનેવી, શંભુગર કાનગર (મોડકૂબા)ના સસરા, મોહનવન, વસંતવન (મંત), ત્રિભુવન, માધવન, મંગલવનના કાકા, હંસાબેન, કસ્તૂરબેન, હેતલબેન, શંભુગર કાનગર (મોડકુબા)ના સસરા, સ્વ. સવિતાબેન, મુક્તાબેન, વિમળાબેન, જશોદાબેન, સ્વ. અશ્વિનગર, શિવગર, મોહનગરના મામા, હંસાબેન, કસ્તૂરબેન, હેતલબેનના સસરા, સ્વ. મીઠાબેન ગોવિંદગર પ્રેમગર (નલિયા)ના જમાઇ, ભરતવન, કિશોરવન, નીલેશવન, વિનોદવન, દીપકવન, રુદ્રવન, મિત્તલ, અરૂણા, નીલમ, દિવ્ય, ભૂમિ, અશ્વિની, જીનલ, સીમા, સંગીતા, જેન્તી, કિરણ, હિતેષ, નરેન્દ્ર, નીલેશ, પ્રિય, સ્વ. મનીષાના દાદા તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે બપોરે 3થી 4 લાખાપર (તા. મુંદરા) ખાતે તથા ઘડાઢોળ તા. 27-9-2024ના શુક્રવારે.

કાદિયા (તા. નખત્રાણા) : ઠોડિયા જુમાભાઇ (ઉ.વ. 58) તે હુશેન કરીમ મામદના પુત્ર, મ. ઇબ્રાહિમ, મ. ઇસ્માઇલ, મ. ઇશાકના ભાઇ, અબ્દુલ, ગુલમામદ, ઇકબાલ, અસલમ, આશિફ, ઇમરાન (કાદિયા), રજાક, મામદ (કોટડા)ના કાકા તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-9-2024ના સવારે 10થી 11 કાદિયા મુસ્લિમ જમાતખાના, નવાનગર ખાતે.

ખીરસરા-રોહા (તા. નખત્રાણા) : હાલે મુંબઇ કાનજીભાઇ રતનશી નથુ માવાણી (ઉ.વ. 83) તે સ્વ. મણિબેનના પતિ, સ્વ. પાનુબેન રતનશી નથુ માવાણીના પુત્ર, સ્વ. જશુબેન રવજી વિશ્રામ વાસાણી (વડવા કાંયા)ના જમાઇ, પ્રભુલાલ, રાજકુમારી, દિનેશ, નર્મદાના પિતા, સ્વ. શિવગણભાઇ, કેસરબેન (લંડન)ના ભાઇ, રસીલા, વિનોદભાઇ દિવાણી, વર્ષા, સ્વ. રસિકભાઇ જબુઆણીના સસરા, રુચિતા, મયૂરી, રોનક, ઉર્વી, અંકુરના દાદા, માનસી, આદિત્ય, પ્રતીક, નીકિતાના નાના તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સવારે 8.30થી 11 ખીરસરા (રોહા) પાટીદાર વાડી ખાતે.

જનાણ (તા. ભચાઉ) : ડાયાંબેન જવેરદાન (ઉ.વ. 89) તે સ્વ. જવેરદાન રૂપશીના પત્ની, આઇદાન, મહિપતદાન, સમરથદાન, વિદ્યાબેન અંબાદાન પાયક, ભગવાનદાન (નિવૃત્ત મેનેજર કે.ડી.સી.સી. બેંક), નરહરદાન (બલરામ એગ્રો-માનકૂવા)ના માતા, સ્વ. ઇશ્વરદાન વિરમજી રોહડિયા (ભારાપર)ના પુત્રી તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-9-2024 સુધી નિવાસસ્થાન જનાણ?ખાતે.

છાડુરા (તા. અબડાસા) : જેઠાભાઇ સીજુ (ઉ.વ. 72) તે સ્વ. હીરબાઇ તેમજ સ્વ. કાયાભાઇના પુત્ર, ગં.સ્વ. કાનબાઇના પતિ, સુરજી, ખીમજી, પ્રવીણ, મુકેશ, સ્વ. ગંગાબેન (ગુનેરી)ના પિતા, ઠાકરશીભાઇ, ધનજીભાઇ, સ્વ. લીલાધરભાઇ, ગં.સ્વ. તેજબાઇ (લક્ષ્મીપર), સ્વ. ખીંયલબાઇ (વરાડિયા), સ્વ. કુંવરબેન (નરેડી)ના ભાઇ, સ્વ. માલાભાઇ કુંવટ (નરેડી)ના જમાઇ, હમીરભાઇ (નરેડી)ના બનેવી, હંસરાજ, રમેશ, કીર્તિ, શામજીના મોટાબાપુ તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-9-2024ના બારસ તેમજ તા. 21-9-2024ના પાણી નિવાસસ્થાન છાડુરા (તા. અબડાસા) ખાતે.ઐ

સાંધાણ (તા. અબડાસા) : પ.ક.મ.ક.સ.સુ. દરજી મણિબેન (ઉ.વ. 77) તે સ્વ. માધવજી જેઠાલાલ મોઢના પત્ની, ખુશાલભાઇ, હરેશભાઇ, તિલકભાઇ, ગં.સ્વ. વીરબાળાબેન કાંતિલાલ સોલંકી (ગોધરા), ગં.સ્વ. નિર્મળાબેન મહેશભાઇ ગોહિલ (કેરા), મીનાબેન દીપકકુમાર સોલંકી (કેરા)ના માતા, સરલાબેન, સીમાબેન, સવિતાબેનના સાસુ, દીપ, સાવન, ભાર્ગવ, જય, ચાર્મી, રિદ્ધિ જિગર ગોહિલ, પૂજા પારસ પીઠડિયા, પ્રિયા દીપક ચાવડાના દાદી, સ્વ. દેવજી જેઠાલાલભાઇના નાના ભાઇના પત્ની, મનસુખલાલ, હીરાલાલ, વલ્લભજી, જેન્તીભાઇના કાકી, સ્વ. દેવજી વલ્લભજી સોલંકી (લાલા હાલે ભુજ)ના પુત્રી, લહેરીભાઇ, શાંતિલાલભાઇ (પ્રમુખ) (ભુજ), સ્વ. મણિબેન (ભુજ), ગં.સ્વ. સોનબાઇ (નલિયા), કસ્તૂરબેન (નલિયા), ગં.સ્વ. રતનબેન (આદિપુર), ગં.સ્વ. પુરીબેન (કોઠારા), હેમાબેન (વિરાર-મુંબઇ), દમયંતીબેન (સુરજપર)ના બહેન, મણિલાલભાઇ (રામપર-વેકરા), નરસીભાઇ (દહીંસરા), સ્વ. હીરજીભાઇ (દહીંસરા), વિનોદભાઇ (નારણપર)ના કાકાઇ બહેન તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 20-9-2024ના શુક્રવારે બપોરે 3થી 4 જૈન સમાજવાડી, સાંધાણ ખાતે.

સણોસરા (તા. અબડાસા) : વઝીર અલીમામદ મામદ (બબાભાઈ)  (ઉ.વ. 62) તે મામદ અલીમામદના પુત્ર, મ. સિધિક અલીમામદ તથા જાનમામદ અલીમામદના ભત્રીજા, અલાના તથા સકીનાબાઈના પિતા, વઝીર ઈબ્રાહીમ, વઝીર હુસેન તથા અમીનાબાઈના ભાઈ, આમિર, અનિસા, નાઝબાનુના દાદા, વઝીર અલ્તાફ, વઝીર જાવેદ, વઝીર સોહેલના મોટાબાપા તા. 18-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-9-2024ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સણોસરા (તા. અબડાસા) ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ ગઢશીશાના ગં.સ્વ. ગુણવંતીબેન મંગલદાસ પૂજાણી (ઉ.વ. 91) તે વેલજી પૂંજા આઇયા (ભચીબેન)ના પુત્રી, જયસિંહભાઇ, અરૂણભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (નનો), રેખાબેન ઘનશ્યામ પોપટના માતા, ધર્મેશ, વિનીતના દાદી, રમાબેન તથા મીનાબેનના સાસુ, સ્વ. રણછોડદાસ, સ્વ. નવીનભાઇ, કલ્યાણજીભાઇ, પ્રદીપભાઇના મોટા બહેન, કશ્યપના દાદી તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 5.30થી 7 ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, મુલુંડ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang