• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ લીલાપુર (તા. લખતર)ના ઝાલા સીતાબા દિલુભા (ઉ.વ. 60) તે દિલુભા નટુભાના પત્ની, જિતેન્દ્રસિંહ (જે.ડી. ઝાલા પી.આઇ.), કુલદીપસિંહના માતા, જયરાજસિંહ, મીતરાજસિંહના દાદી તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 4થી 6 શક્તિધામ, ભુજ ખાતે.

ભુજ : રેખાબેન ભાલચંદ્રભાઈ વોરા તે ભાલચંદ્રભાઈ યજ્ઞશંકરભાઈ વોરા (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ)ના પત્ની, ડિગીશ વોરા (આઇસીઆઇસીઆઇ બેંક-માંડવી) અને દીપ્તિબેન પલકભાઈ વસાવડાના માતા, વૈભવી ડિગીશભાઈ વોરાના સાસુ, સ્વ. વીરેન્દ્રભાઈ ય. વોરા, વીણાબેન દિલીપભાઈ પોટાના ભાભી, કિરીટભાઈ, સ્વ. નૈષધભાઈ નીતિનભાઈ દેસાઈ (મહુવા), ગીતાબેન, નયનાબેન મંગેશભાઈ ઘોડા (જૂનાગઢ), રક્ષાબેન વિપુલભાઈ વૈશ્નવ (રાજકોટ)ના બહેન તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : મૂળ દરશડીના પટેલ શિવગણ સોમજી (ઉ.વ. 83) તે પુષ્પાબેનના પતિ, કીર્તિ (કિરીટકુમાર), યોગેશ (મુંબઇ), ઉર્મિલાબેનના પિતા, નીતાબેન, ઇન્દુબેન તથા જગદીશભાઇ ભગતના સસરા, ઝીલ વેલાણી, આયુષી, મહર્ષી, પ્રિયાંશના દાદા, આસ્તિક વેલાણીના દાદા સસરા, હિમાંશુ, આદિત્યના નાના, સ્વ. ધનબાઇ વાલજી ખીમજી જબુવાણી (ભુજપુર)ના જમાઇ, સ્વ. માવજી વાલજીના બનેવી, વિશનજી ભાણજી, સ્વ. અરજણ સોમજી, વિનોદચંદ્ર સોમજી, લક્ષ્મીબેન કરમશી વેલાણી, સ્વ. વનિતાબેન વિઠ્ઠલદાસ વેલાણીના ભાઇ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, મિરજાપર રોડ, લક્ષ્મી મારબલની સામે, ભુજ ખાતે.

ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ મીત મહેતા (ઉ.વ. 43) તે સ્વ. નવીનચંદ્ર શંભુલાલ મહેતા તથા ગં.સ્વ. હેમલતાબેનના પુત્ર, સ્વ. કલ્પેશ (કલિયા), ભવ્ય, જયદીપભાઇ (પીજીવીસીએલ) તથા જતિન (ગેટકો)ના ભાઇ, સ્વ. વિદ્યાબેન સોભાગચંદ મહેતા તથા સ્વ. ગુણવંતીબેન અરવિંદભાઇ મહેતાના ભત્રીજા, સ્વ. વાલબાઇ વાલજીભાઇ વાઘેલાના દોહિત્ર, સ્વ. ધીરજભાઇ, બંસીભાઇ, પ્રકાશભાઇ, મહેશભાઇ, અનિલભાઇ, નિમુબેન પ્રભુજી સોલંકીના ભાણેજ તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે.) ટેલિફોનિક બેસણુ રાખેલ છે. સંપર્ક : ભવ્ય મહેતા-98792 86337.

ભુજ : હાલે ઘાટકોપર-મુંબઇ મારૂ કંસારા સોની શોભનાબેન મહેન્દ્રભાઇ બારમેડા (ઉ.વ. 67) તે સ્વ. જમનાબેન માવજી શિવજીના પુત્રી, સ્વ. હીરાકુંવરબેન ઝવેરીલાલ શિવજીના ભત્રીજી, વસંતલાલ, શશિકાંત, સ્વ. જગદીશ, શાંતિલાલ, સ્વ. નરેન્દ્ર, વિજય, ગં.સ્વ. નિર્મળાબેન નરોત્તમ કટ્ટા (મુલુંડ), ગં.સ્વ. ઉર્મિલાબેન બિહારીલાલ સોલંકી (ભુજ), ગં.સ્વ. કમળાબેન રાજેન્દ્ર કંસારા (અંજાર)ના બહેન, સ્વ. હંસાબેન, તારામતી, ગં.સ્વ. ચંપાબેન, ભારતીબેન, ગં.સ્વ. અરુણાબેન, ભાવનાબેનના નણંદ તા. 8-9-2024ના ઘાટકોપર ખાતે અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2024ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : ભરતભાઇ રાસ્તે (ઉ.વ. 66) (ઓવલા-મુંબઇ) તે સ્વ. લક્ષ્મીબેન જયંતીલાલ ઇંદરજી રાસ્તેના પુત્ર, હેમલતાબેનના પતિ, સ્વ. વિજયાબેન શંભુરામભાઇ માંડલિક (શ્રીરામપુર)ના જમાઇ, જવાહરલાલભાઇ રાસ્તે, સ્વ. વિનોદભાઇ રાસ્તે, ધીરજભાઇ રાસ્તેના ભાઇ, મીતા આચાર્ય, રાહુલ, અમોલના પિતા, હાર્દિક આચાર્ય, અર્ચના અને ભાવિના સસરા, કિરણભાઇ, હિનાબેન, હસુબેન, અજયભાઇ, ઉષાબેન, શોભાબેનના કાકા, સ્તુતિ, કેતકીના દાદા, પર્વના નાના તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભાવેશ્વર મહાદેવ મંદિર, ડી.સી.-5. પાંજોઘર, ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નખત્રાણાના સાધુ શંકરલાલ રતનદાસ (ઉ.વ. 61) તે સ્વ. મણિબેન રતનદાસ ગોરધનદાસ સાધુ (રામાવત)ના પુત્ર, ઇશ્વરદાસ દેવકૃષ્ણદાસ રામકૃષ્ણના ભત્રીજા, મધુબેનના પતિ, કૈલાસ, માયાબેન, પૂજાના પિતા, માનસના દાદા,  દામિનીબેન, દીપકકુમાર, વેદ જોષીના સસરા, સુરેશભાઇ, સ્વ. કનૈયાલાલ, હરેશ, કલ્પેશ, રાધાબેન, લક્ષ્મીબેન, ઉર્મિલા, બેબીબેન, અનુબેન, જ્યોત્સનાબેન, જનકબેનના ભાઈ, સોહમ, રુદ્રના નાના, સ્વ. મેનાબેન વિશ્રામદાસ ગોરધનદાસ, ગં.સ્વ હેમલતાબેન નવીનચંદ્રના જમાઇ, શાંતિલાલ, દિનેશભાઇ, ભરતભાઇ, ભૂપતભાઇ (ભચાઉ), ભાવેશભાઈ બાલકૃષ્ણ, મુકેશભાઈ (માધાપર), સ્વ. રુક્ષ્મણિબેન, રંજનબેનના બનેવી, મોહનદાસ (લોદ્રાણી), શાંતિદાસ (માધાપર)ના સાઢુ ભાઇ તા. 8-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે બપોરે 3થી 5 લોહાણા સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર-જૂનાવાસ ખાતે.

નાગલપર (તા. માંડવી) / ભુજ : આદિત્ય કૈલાસભાઇ મોતા (ઉ.વ. 29) તે રમીલાબેન કૈલાસભાઇ મોતાના પુત્ર, મંજુલાબેન તુલસીદાસ શંકરજી મોતાના પૌત્ર, હાર્દિક (એફપીએસ-નાગલપર)ના મોટા ભાઇ, દમયંતીબેન પ્રદીપભાઇ માકાણી (ભુજ), હસ્મિતાબેન રમણીકભાઇ અજાણી (ભુજ), સૂર્યકાન્ત તુલસીદાસ મોતા (મુંબઇ)ના ભત્રીજા, જયાબેન પ્રાણજીવન વાઘજી અજાણીના દોહિત્ર, ભારતીબેન હસમુખભાઇ મોતા (બાગ), હસ્મિતાબેન હસમુખભાઇ મોતા (ભુજ), જિજ્ઞાબેન નીતેશ પ્રાણજીવન અજાણીના ભાણેજ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. મોસાળ પક્ષે પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સવારે 10થી 11.30 સુરલભિટ્ટ રોડ, અંજલિ નગરની બાજુમાં, રાજગોર વાડી વિસ્તાર, ભુજ ખાતે તથા માવિત્ર પક્ષે પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 4થી 6 નાગેશ્વર મહાદેવ મંદિર, નાગલપર ખાતે.

કોટડા-આથમણા (તા. ભુજ) : મહેશ્વરી લખુભાઇ કાંયાભાઇ બડિયા (ઉ.વ. 88) તે સ્વ. આતુભાઇ, વિરાભાઇ, લધુભાઇ, હીરબાઇ બિજલ સિંચના ભાઇ, કુંવરબેનના સસરા, રણમલ, ખીમીબેન, વાલબાઇ, ભારતી, વેલબાઇના પિતા, અનિલ (સી.આર.પી.એફ. જવાન), ખુશાલ, શિવાનીના દાદા, બાવા જુમાના કાકાઇ ભાઇ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન મહેશ્વરીવાસ, કોટડા-આથમણા ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : શેખ સાલેમુહમદ અબ્દુલ્લાહ (ઉ.વ. 75) તે ગફુર, મ. કાસમ, મજીદ, શબ્બીર, હુસેન, નેકમોહમ્મદના પિતા, જાવેદ, અરીફ, મુસ્તાક, ફરીદ, રિઝવાન, સુલતાનના દાદા તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2024ના ગુરુવારે સવારે 9થી 10 નિવાસસ્થાન, સુમરાસર (શેખ) ખાતે.

મમુઆરા (તા. ભુજ) : મૂળ ચુનડીના જવેરગર ભગવાનગર ગુંસાઇ (બબાભાઇ) તે સ્વ. રુક્ષ્મણિબેન ભગવાનગરના પુત્ર તા. 8-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9- 2024ના ગુરુવારે સાંજે 4થી 5 સમાજવાડી, મમુઆરા ખાતે તેમજ ભંડારો અને શંખઢોળ તા. 20-9-2024ના શુક્રવારે મમુઆરા ખાતે.

નવાવાસ (તા. માંડવી) : મણિલાલ ખીમજી જેઠા વોરા (ઉ.વ. 76) તે તારાબેનના પતિ, દેવકાબેન ખીમજી જેઠા વોરાના પુત્ર, જેઠીબાઇ ગાંગજી સુંદરજી ગાલા (દેવપુર)ના જમાઇ, દીપ્તિ, દીક્ષા, ભક્તિના પિતા, નયન, મુકેશ, મેહુલના સસરા તા. 10-9-2024ના ભુજ ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : મેહુલભાઇ-98339 20052.

મામયમોરા (તા. માંડવી) : વિશ્રામભાઇ કચરાભાઈ જબુવાણી (ઉ.વ. 72) તે સ્વ. રતનબેન કચરાભાઈ જબુવાણીના પુત્ર, સ્વ. પ્રેમિલાબેનના પતિ, સ્વ. કૌશલ્યાબેન, મોહનભાઈ, ગિરીશભાઈ, જગદીશભાઈના પિતા, કલ્પનાબેન, રસીલાબેન, જિજ્ઞાબેનના સસરા, મૂળચંદભાઈ અમૃતભાઈ, દિનેશભાઈ, મણિબેન (કુરબઈ), કસ્તુરબેન (દુજાપર), શાંતાબેન (ભેરૈયા), નર્મદાબેન (ભેરૈયા)ના ભાઈ, કમળાબેન, કાંતાબેન, જયશ્રીબેનના જેઠ, સ્વ. રતનશી વિશ્રામ દિવાણી (વિરાણી નાની)ના જમાઈ, નિધિબેન તુષાર (હળવદ), ધ્યાની, ધ્રુવ, ધૃતિ, નેન્સી, અંશ, વિશ્વા, પાન્સુના દાદા તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-9-2024ના સવારે 8થી 11 બપોરે 3થી 5 સતપંથ દિવ્ય શક્તિ સમાજવાડી, મમાયમોરા ખાતે.

દુજાપર (તા. માંડવી) : કંકુબેન ભગત (ઉ.વ. 88) તે સ્વ. નારણ મેઘજી ભગતના પત્ની, નવીનભાઈ, લખમશીભાઈ, દિનેશભાઇ, પ્રભુભાઈ અને રમીલાબેનના માતા, પરસોત્તમભાઇ ભગત (દેશલપર)ના સાસુ તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-9-2024ના બુધવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.

પત્રી (તા. મુંદરા) : ઓઢેજા જાકબ હાસમ (ઉ.વ. 65) તે અલીમામદ, હુસેન, સાલેમામદના ભાઇ, ઇબ્રાહિમ, મજીદ, રફીકના પિતા, ઇસ્માઇલ ફકીરમામદ (સરલી), મ. ફકીરમામદ ઇશાક (ગુંદાલા), મામદ અલીમામદ (સરલી)ના સાળા, ઉરસ અલીમામદ, સુલેમાન આધમના સસરા તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2024ના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને.

નાના અંગિયા (તા. નખત્રાણા) : હાલે બેંગ્લોર (પીનિયા) મેઘજી સામજી પારસિયા (ઉ.વ. 75) તે વાલુબેનના પતિ, ભગવાનભાઈ, દિનેશભાઈ, લક્ષ્મીબેન (નખત્રાણા)ના પિતા, સ્વ. વેલજી શામજી પારસિયાના નાના ભાઈ, સ્વ. મોંઘીબેન (કલ્યાણપર), જીવાબેન (નાની મંજલ), રતનબેન (વિથોણ), સ્વ. દેવાબેન (દેવપર)ના ભાઈ, રવજીભાઈ, શંકરભાઈ, દમયંતીબેન (નખત્રાણા), ચંદુબેન (પલીવાડ), નર્મદાબેન (ધાવડા)ના કાકા, હીરાભાઈ દેવજી પારસિયા નરાસિંહભાઈના કાકાઈ ભાઈ, સ્વ. લધાભાઈ ડાહ્યાભાઈ મેપાણી (રામાણી) (નખત્રાણા)ના જમાઈ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 12-9-2024ના ગુરુવારે સવારે 8થી 11 એક દિવસ માટે લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, નાના અંગિયા ખાતે.

નાગવીરી (તા. નખત્રાણા) : સંજોટ અમરતભાઇ (ઉ.વ. 40) તે સ્વ. ભાણબાઇ અરજણના પુત્ર, ભાવનાબેનના પતિ, અશ્વિન, પ્રિયાબેન, દીપક, યશના પિતા, જેન્તીભાઇ, અરવિંદના ભાઇ, સ્વ. લધારામ, સ્વ. કાનજીભાઇ, મૂરજીભાઇના ભત્રીજા, ગોરડિયા જખીબેન કાનજીભા (નખત્રાણા)ના જમાઇ, હંસાબેનના દિયર, નર્મદાબેનના જેઠ, શંકર, લખમશી, અરવિંદના બનેવી તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-9-2024ના સાંજે આગરી, તા. 13-9-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન, નાગવીરી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : ભરતભાઈ બેચરભાઈ વેલાણી (ઉ.વ. 47) (બજરંગ બોરવેલ) તે બેચરભાઈ મેઘજીભાઈ વેલાણીના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, યશ અને ભક્તિના પિતા, પાર્વતીબેન (મુંબઈ), રમેશભાઈ (કોઠારા), વિપુલના ભાઈ, પાર્થ અને ક્રિષ્નાના મોટાબાપુ, અંબાલાલભાઈ મેઘજી વેલાણી (માનકૂવા), પ્રવીણભાઈ વેલાણી (કોઠારા)ના ભત્રીજા, વિશ્રામભાઈ લાલજી સેંઘાણી (દરશડી)ના જમાઈ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 11, 12-9-2024 બુધવાર-ગુરુવાર (બે દિવસ) સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન, સિલ્વર પાર્ક સોસાયટી, નલિયા-ભુજ હાઈવે, કોઠારા ખાતે તેમજ તા. 12-9-2024ના ગુરુવારે બપોરે 3થી 5 અંબાલાલભાઈ મેઘજી વેલાણીના નિવાસસ્થાને માનકૂવા ખાતે.

મુલુંડ : ગોવિંદભાઇ ખટરિયા (ઉ.વ. 86) તે સ્વ. ઝવેરબેન નરશી નારાણજી ખટરિયા (મસ્કા)ના પુત્ર, સ્વ. વેલામા હરિરામ જેઠાભાઈ ગાવડિયાના જમાઈ, સુકન્યાબેન (નીમાબેન)ના પતિ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. બુધુભાઈ, નરેન્દ્રભાઇ, સ્વ. ભાગીરથીબેન મથરાદાસ, સ્વ. રુક્ષ્મણિબેન કરસનદાસ, સ્વ. પુષ્પાબેન મૂળશંકર, ગં.સ્વ. દમયંતીબેન પરમાનંદ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન રમેશચંદ્ર તથા હંસાબેન બિપિનકુમારના ભાઈ, સંજય, હીના અને અલ્પેશના પિતા, રીટા, મનીષા તથા રાજીવ સુમનરાય પાંધીના સસરા, કૃપાલી અને કાવ્યાના દાદા, હિમાલી અને ચિન્મયના નાના, સ્વ. ગુણવંતીબેન તથા ગં.સ્વ. ઉર્મિલાબેનના દિયર, કુસુમબેનના જેઠ,  કમલેશ છગનલાલના કાકાઈ ભાઈ, સ્વ. શારદાબેન ભાઈલાલભાઈ સાહેલ તથા સ્વ. રમેશભાઈ હરિરામ ગાવડિયાના બનેવી, સ્વ. પ્રકાશ અને પરાગ રમેશભાઈના ફુવા તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 6થી 7.30 સારસ્વતવાડી, મુલુંડ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang