• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભુજમાં માર મારવાના કેસમાં ત્રણ આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 18 : શહેરમાં ભંગારના વાડામાંથી ભંગાર ચોરી કર્યો હોવાનો વહેમ રાખી માર મારવાના કેસમાં આરોપી રજબઅલી બરકતઅલી પઠાણ, સોયેબ સલીમ ઘાંચી અને ઈમરાન સતાર લુહાર (ઈમુ કુંભાર)એ કરેલી જામીન અરજી જ્યુડિશિયલ કોર્ટે નામંજૂર કરી હતી. ભંગાર ચોરી જવાયાનો વહેમ રાખી ત્રણ-ચાર મહિના અગાઉ અમનનગર ચાર રસ્તા નજીક આરોપીઓએ ફરિયાદીને લોખંડના પાઈપ, ધોકા સહિતના હથિયાર વડે માર માર્યો હતો, જે કેસમાં આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નકારી હતી. આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ હાજર રહી દલીલ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang