ગાંધીધામ, તા. 29 : આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલા
અને કચ્છના આર્થિક પાટનગર તરીકે ગણાતા ગાંધીધામ
સંકુલમાં દેશના વિવિધ પ્રાંતના લોકોએઁ ગાંધીધામને કર્મભૂમિ બનાવી છે. તેથી ગાંધીધામ લઘુભારત તરીકે પણ
ઓળખાય છે. અહીં દેશના વિવિધ પ્રાંતના લોકો વિવિધ પ્રાંતના ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરતા
હોય છે. ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યોમાં કાવડયાત્રાનું વિશેષ મહત્ત્વ હોય છે. ગાંધીધામ
ખાતે પણ દર વર્ષની માફક આ વર્ષે પણ હર હર મહાદેવના
નાદ સાથે કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. કાવડિયાઓ પહેલા જોગણીનાર અથવા જ્યાં સ્વયંભૂ પાણી નીકળતું હોય, તે સ્થળે કાવડમાં પાણી ભરી મહાદેવનાં મંદીરે
જઈને જળ અર્પણ કરે છે. આ વખતે પણ વિદ્યાવાસીની સેવા સમિતિના અધ્યક્ષ છોટેલાલજી યાદવના અધ્યક્ષ સ્થાને કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. ગળપાદરના
નાગા બાવા મંદિરથી કાવડયાત્રા શરૂ થઈ હતી અને માલારા મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગાંધીધામની શહેર પ્રત્યે
સમર્પિત સંસ્થા સિંધુ પ્રેમ ટ્રસ્ટના અધ્યક્ષ
રમેશ તારાચંદ ધનવાણી દ્વારા કાવડીઓનું અભિવાદન
કરી શુભેચ્છા આપવામાં આવી હતી. મા વિદ્યાવાસીની
સેવા સમિતિના સદાનંદ સહાની, શિવનાદ સહાની, કપિલદેવ વર્મા, રામનગીના યાદવ, મદન યાદવ, શેલેન્દ્ર શર્મા, આનંદ જયસ્વાલ,
જીવતલાલ જયસ્વાલ, વિજય પ્રકાશ કુશવાહ, દીપક પાસવાન, શાહીબ દિનકર, રોહિત
ગુપ્તા, રામમિલન મહામંત્રી વેદપ્રકાશ દુબે, વિજયભાઈ મોર્યા સર્વે
આ કાવડયાત્રાનાં આયોજનમાં સહયોગી બન્યા હતા.