• બુધવાર, 15 મે, 2024

રાહુલનાં રાજાવાળાં બયાનથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી, તા. 28 : ચૂંટણીમાં પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યા છે. હાલ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શહઝાદાએ છત્રપતિ શિવાજી, રાની ચિનમ્માનું અપમાન કર્યું છે. રાજાઓ વિરુદ્ધ બોલવાની હિંમત છે, પણ નવાબો, સુલતાનો સામે એક શબ્દ બોલવાની તાકાત નથી. સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ અંગે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. સાથે તેમણે કહ્યું કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. પાટીલે ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને ચલાવશે નહીં. સાથે તેમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. ભાજપ નેતા અમીત માલવીએ કહ્યું હતું કે રાહુલે રાજપૂત સમાજની માફી માગવી જોઈએ. સામે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા કરેલ ભાષણનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં વડાપ્રધાનને એવુ કહેતા બતાવવામાં આવ્યા છે કે `આદરણીય સભાપતિ જી, સદનમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા, હવે રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગાઢ નાતો હતો સમયે` પ્રકારની વાત યોગ્ય નથી. અંગ્રેજો તો ઇચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થઈ જાય પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલીને સરદાર પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપીને દેશને ખંડિત થતા બચાવ્યો હતો. જેતે સમયે કોંગ્રેસ પક્ષની સરકારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવી તેઓનું સન્માન કર્યું હતું. બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતાં એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, 'કૉંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રાજા મહારાજઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ કોંગ્રેસની સરકારો ઉઠાવ્યું અને લૂંટ્યું હતુ. દરમિયાનમાં રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન સામે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી ભૂલી ગયા છે દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો રાહુલ ગાંધીના દાદી ઇંદિરા ગાંધી લાવ્યા હતા. જેના કારણે હજ્જારો રાજપૂતોની જમીન જતી રહી હતી. જ્યારે રાજકોટથી રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang