ભુજ, તા. 29 : માંડવી અને મીરજાપરમાંથી સગીરાઓના
અપહરણ થતા વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માંડવીમાં તા. 26-7ના સવારથી સાંજ દરમ્યાન બદકામ
અથવા લગ્ન કરવાના ઇરાદે આરોપી અમજદ અલીમામદ ખલીફા (રહે. ભુજ) ફરિયાદીની સગીરાની દીકરીનું
તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ માંડવી પોલીસ મથકે મીરજાપરના
વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 28-7ના સાંજે તેમની પંદર વર્ષની સગીર વયની દીકરીને કોઇ અજાણ્યો ઇસમ
લલચાવી ફોસલાવી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. એ-ડિવીઝને ફરિયાદ
દાખલ કરી છાનબીન આદરી છે.