• ગુરુવાર, 31 જુલાઈ, 2025

મુંદરામાં અગાઉના ઝઘડાના મનદુ:ખમાં વાડ સળગાવાઇ

ભુજ, તા. 29 : મુંદરામાં ભૂખી નદીના કિનારે આવેલી વાડીમાં અગાઉના ઝઘડાના મનદુ:ખમાં વાડને આગ લગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 27-7ના બીજા દિવસની સવાર સુધી બનેલા આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકે જેઠાભાઇ વીરા પાતાળિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉના ઝઘડાના મનદુ:ખમાં આરોપી અબ્દુલકરીમ ઉર્ફે ગુલામ આમદ સમેજા (રહે. તળાવવાળા નાકા પાસે, મુંદરા)એ  ફરિયાદીના વાડીના સેઢામાં આવેલી બાવળોની વાડને સળગાવીને આશરે સાતેક હજાર જેટલો બગાડ કરી  ફરિયાદીને નુકસાન કર્યાનું લખાવાયું છે. 

Panchang

dd