• મંગળવાર, 30 એપ્રિલ, 2024

આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારીઓ પર ભારી

નવી દિલ્હી, તા.16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં જનસભાઓ કરી ભ્રષ્ટાચાર મામલે વિપક્ષી જોડાણ પર પ્રહારો કરી ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ પર આગામી પાંચ વર્ષ?દરમ્યાન વધુ કડકાઈથી કામ થશે. બંગાળમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધી સંદેશખાલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધથી આખો દેશ ડરેલો છે કેમકે તૃણમૂલે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને પટ્ટા પર આપી દીધું છે. બિહારમાં પીએમ મોદી ત્રણ કલાક રહ્યા હતા. દરમ્યાન તેમણે ગયા અને પૂર્ણિયામાં ચૂંટણી જનસભાઓને સંબોધી હતી. તેમણે બંધારણ, ભ્રષ્ટાચાર, રામ મંદિર અને આતંકવાદ પર ઈન્ડી જોડાણને ઘેર્યું હતું. તેમણે કહ્યું કે ઘમંડિયા જોડાણના લોકો સનાતનને મિટાવવામાં લાગેલા છે. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારને હટાવવામાં લાગ્યા છીએ, તેઓ બચાવવામાં લાગેલા છે.  ભ્રષ્ટાચારીઓને બચાવવા તેઓ એક થઈ રહ્યા છે. જે લોકો બંધારણને બચાવવાની વાતો કરી રહ્યા છે તેઓ કાશ્મીરમાં ક્યારેય પણ બાબા સાહેબનું બંધારણ લાગુ કરાવી શક્યા હતા. મોદી છે આજે જમ્મુ-કાશ્મીરમાં પણ સંવિધાન આન-બાન-શાનથી લાગુ થયું છે એમ તેમણે કહ્યું હતું. પશ્ચિમ બંગાળના બાલુરઘાટ અને બાદમાં રાયગંજમાં સભાને સંબોધતાં પીએમે ટીએમસી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેઓ રાજ્યને પાછળ લઈ ગયા છે. મોદીની ગેરંટીથી રાજ્યને ફાયદો થશે એવું તેમને લાગતું હોવાથી તેઓ ઝૂઠું બોલી રહ્યા છે. પણ બંગાળની જનતા તેઓને ઓળખી ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang