ચેન્નાઇ, તા. 29 : આઇપીએલની ગઇકાલની મેચમાં સીએસકેના ગઢ ચેપોક પર સનરાઇઝર્સ હૈદરાબાદનો 78 રને શરમજનક પરાજય થયો હતો. આ મેચની હાર બાદ સનરાઇઝર્સના કપ્તાન પેટ કમિન્સે જણાવ્યું કે ટી-20 સ્વરૂપ હંમેશાથી બેટધરો માટે અનુકૂળ રહ્યંy છે. આઇપીએલની વર્તમાન સિઝન આ દિશામાં એક કદમ આગળ વધી છે. કમિન્સે જણાવ્યું કે, આક્રમક બેટિંગ કરીને અમે જીત મેળવી શકીએ છીએ. ચેન્નાઇ સામેની હારનું કોઇ કારણ બતાવી શકાય નહીં. આ મેચ અમારી યોજના અનુરૂપ રહી ન હતી.