ભુજ, તા. 27 : વિરમગામ રેલવે
પોલીસ સ્ટેશનનો એન.ડી.પી.એસ.નો ગુનાના નાસતા ફરતા આરોપીને માનકૂવા પોલીસે ભારાસરથી
ઝડપી લીધો હતો. હાલ અંતરજાળ મૂળ બનાસકાંઠા બાજુનો રોનકભાઈ પ્રવીણભાઈ ઠક્કર વિરમગામ
રેલવે પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાનો નાસતો-ફરતો આરોપી છે. માનકૂવા પોલીસની
પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. પંકજકુમાર કુશવાહને મળેલી બાતમીના આધારે તેને ભારાસરની
સીમમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.