• બુધવાર, 15 મે, 2024

જિલ્લામાં પાંચ બનાવમાં પાંચ લોકોના જીવ ગયા

ગાંધીધામ/ભુજ, તા. 28 : અંજારના વીડી નજીક અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર આગળ ઊભેલાં ટ્રક-ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળના વાહનના ચાલક અજિતકુમાર સુમેરરામ (.. 35)નું મોત થયું હતું. બીજીબાજુ ભચાઉ-સામખિયાળી વચ્ચે આડશ વગર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી બુલેટ ભટકાતાં તુણા રામપરના યુનુસ ઉર્ફે જુનસ ઇશા જુનેજા (.. 42) જીવ ખોયો હતો તેમજ ભચાઉ નજીક ધોરીમાર્ગ ઓળંગતા બળવંતસિંહ શિવુભા જાડેજા (.. 33)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં યુવાનનું મોત થયું હતું. બીજીબાજુ અંજારના ભીમાસરમાં 45થી 50 વર્ષીય અજાણ્યા આધેડે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે ભુજની રામનગરીમાં ઘરઆંગણામાં કપડાં ધોઇ રહેલી 31 વર્ષીય ચંદાબેન મહેન્દ્ર પટ્ટણીને વીજતાર વડે લાગેલો શોક તેને ભરખી ગયો હતો. મુંદરાની સ્ટાર લોજિસ્ટિકમાં કામ કરનાર અજિતકુમાર મુંદરાથી ટ્રેઇલર નંબર જી.જે. -12-બી.વાય.-1072 લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે વીડી નાકા નજીક પુલિયા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ ઊભેલા ટ્રક-ટ્રેઇલર નંબર જી.જે. -12-.ટી.-9576માં ધડાકાભેર અથડાતાં અજિતને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી જેમાં તેનું મોત થયું હતું. જ્યારે આગળના વાહનચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે યોગેરાજસિંહ રામદેવસિંહ જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજો જીવલેણ બનાવ ભચાઉ-સામખિયાળી માર્ગ ઉપર ગત તા. 26/4ના રાત્રિના ભાગે બન્યો હતો. તુણા-રામપર રહેનાર યુનુસ નામનો યુવાન ઘરેથી બુલેટ નંબર જી.જે. -12-.એસ. -0092 લઇને મોરબી બાજુ જઇ રહ્યો હતો. તે ભચાઉ-સામખિયાળી વચ્ચે ખેમાબાપા હોટેલની આગળ પહોંચ્યો હતો ત્યારે આગળ ટ્રક નંબર જી.જે. -12-.ટી.-6590વાળી ઇશારો કે આડશ આપ્યા વગર ત્યાં રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે પડી હતી. દરમ્યાન બુલેટ વાહનમાં ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે રજાક ઇશાક જુનેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ ભચાઉ-સામખિયાળી વચ્ચે ગોલ્ડન હોટેલ પાસે ધોરીમાર્ગ ઉપર સર્જો હતો. ગજોડમાં રહેનાર બળવંતસિંહ અને વિજયસિંહ મુંદરાથી રાજકોટ જવા નીકળ્યા હતા. બાદમાં ભચાઉ નજીક ગોલ્ડન હોટેલમાં જમવા માટે રોકાયા બાદ વિજયસિંહ અન્ય ગાડીમાં મોરબી જવા નીકળ્યા હતા, જ્યારે બળવંતસિંહ રાજકોટ જવા માટે માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઇ જાયો હતો જ્યાં સારવાર દરમ્યાન ગત તા. 25/4ના રાત્રિના ભાગે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ હેમુભા શિવુભા જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ અંજારના ભીમાસરમાં બન્યો હતો. છેલ્લા લાંબા સમયથી અહીં રહી ભિક્ષાવૃત્તિ કરનાર 45થી 50 વર્ષીય અજાણ્યા આધેડે જીવન ટૂંકાવી લીધું હતું. આધેડે અન્ય કોઇના ઘરે જઇ રસ્સી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તે કોણ છે અને કેવા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ભુજના ભુજિયાની તળેટીમાં આવેલ રામનગરીમાં હનુમાન મંદિર પાસે રહેતા 31 વર્ષીય મહિલા ચંદાબેન પટ્ટણી આજે સવારે તેના ઘરના આંગણામાં કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જીવંત વીજતારમાં તેનો હાથ અડકી જતાં જોરદાર લાગેલા વીજશોકથી તે દૂર પટકાયાં હતાં. વીજશોકના પગલે તેમના પતિ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કરુણ બનાવનાં પગલે રામનગરીમાંથી અનેક શ્રમજીવીઓ હોસ્પિટલ ધસી આવ્યા હતા અને રુદનના પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું. હતભાગી મૃતક ચંદાબેનના 12 વર્ષનાં લગ્નગાળામાં ત્રણ દીકરા છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang