મુંદરા, તા. 14 : અદાણી
ફાઉન્ડેશન, મુંદરા
અને રામાણિયા ગ્રામજનો દ્વારા ગામની હિન્દુ સ્મશાનભૂમિ ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે થયેલા આ વૃક્ષારોપણ
કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતા, જેમાં
નીમ, પીપળ, વડ વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યમાં સ્થાનિક ગ્રામજનો અને જૈન
મહાજનનો સાથ-સહકાર મળ્યો હતો. આ પ્રસંગે ગામના સક્રિય કાર્યકરો શાંતિભાઈ કલ્યાણજી
સાવલા, મુકેશભાઈ મુરજીભાઈ છેડા, સુરેન્દ્રાસિંહ
જામભા જાડેજા, કિરીટાસિંહ ટપુભા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા.