• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ગાંધીધામ : ગીતાબેન ઠક્કર (ઉ.વ. 56) તે હરીશભાઇ ભવાનજી ઠક્કરના પત્ની, સ્વ. અનસૂયાબેન ભવાનજી છાબડા (અંબિકા હિન્દુ લોજ)ના પુત્રવધૂ, સેહુલ તથા ભૂમિના માતા, સ્વ. ભરતભાઇ, સ્વ. સુરેશભાઇ, ગિરીશભાઇ, પ્રવીણભાઇ, પ્રફુલ્લભાઇના ભાઇના પત્ની, હંસાબેન જિતેન્દ્ર પલણ, સંગીતાબેન જિતેન્દ્ર ઠક્કરના ભાભી, સંદીપભાઇ તથા ઉર્વીબેનના સાસુ, સ્વ. ભવાનજી જાદવજી કોઠારી (અમદાવાદ)ના પુત્રી, નવીનભાઇ તથા અશોકભાઇના બહેન, સ્વ. છગનલાલ લાલજી છાબડા (કોટડા-ચકાર)ના ભત્રીજાવહુ, મુક્તાબેન, ચંદ્રિકાબેન, તરુણાબેન, જ્યોતિબેનના દેરાણી, ભારતીબેનના જેઠાણી, રિશીતાના દાદી તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 જૂની લોહાણા મહાજનવાડી, ચાવલા ચોક, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ પુનડીના ખમુભાઈ (ગાભુભાઈ) દેવશીભાઇ લાંભા (ઉ.વ. 67) તે મેઘબાઈના પતિ, શામજીભાઈ (બાવાભાઈ), લક્ષ્મણભાઈ, કિશનભાઈના પિતા, દામજીભાઈ, મૂરજીભાઈ, મેગબાઈ રામજી ઠોટિયા, ગાંગબાઈ આલા ઠોટિયા, ગૌરીબેન ગાંગજી થારૂના કાકા, હર્ષ, આર્યન, નિશાંત, હેતલ, કાવ્ય, અવનીના દાદા તા. 19-1-25ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-1-2025ના નિવાસસ્થાને પૂર્ણ કરેલ છે.

આદિપુર : મૂળ નાની બરાર (તા. મોરબી)ના વિલ્મા મહેશભાઈ પટેલ તે હિરલબેન તથા મહેશભાઈ અવચરભાઈ પટેલના પુત્રી, હેતભાઈના બહેન તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-1-2025ના સાંજે 4થી 5 આર.પી. પટેલ ગુજરાત વિદ્યાલય, વોર્ડ  નં. 2/બી, તોલાણી આઈ હોસ્પિટલ પાછળ, આદિપુર ખાતે.

અંજાર : કાન્તિલાલ મોતીરામ (ઉ.વ. 79) તે મંજુલાબેન મોતીરામ પોબારાના પુત્ર, શારદાબેનના પતિ, દીપક, સ્વ. કલ્પેશના પિતા, સ્વ. સામજી મૂરજી ભમરિયાના જમાઇ, સ્વ. વિજયભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. દિનેશભાઇ, રંજનબેન અરવિંદકુમાર શેઠિયા, નીતાબેન નીતિનકુમાર શેઠિયા (નાશિક), ભારતીબેન મુકેશકુમાર માથકિયાના મોટા ભાઇ, સ્વ. ભાણજીભાઇ સામજીભાઇના ભત્રીજા, છગનભાઇ માધવજીના ભાણેજ તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના સાંજે 4થી 5 સારસ્વત સમાજવાડી, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : ભાટિયા ગીતાબેન જિતેન સંપટ (ઉ.વ. 57) તે જિતેન કરશનદાસ સંપટ (અન્નકોટવાળા)ના પત્ની, સ્વ. ચંદાબેન તથા સ્વ. કરશનદાસ માવજી સંપટના પુત્રવધૂ, દીપ, પ્રેમ (પ્રેમ પિત્ઝા)ના માતા, સ્વ. મૃદુલાબેન રમેશભાઇ ઉદેશી (મૂળજી આશુ ગોંડલવાળા)ના પુત્રી, આકસાના સાસુ, દિયાના દાદી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-1-2025ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પેથાણી ડેલી, રંગચુલી પાછળ, હાલા મસ્જિદ પાસેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડીના પ્રાર્થના હોલ, મહિલા બાગ પાસે, માંડવી ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : ધોબી અમીનાબેન નૂરમામદ (ઉ.વ. 78) તે હુશેન નૂરમામદ, મેરૂનિશા જાફર દૈયા (મુંબઇ), ગુલસન હુશેન (માંડવી), હમીદા અનવર (ભુજ), સલમા ફિરોજ (ભુજ)ના માતા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-1- 2025ના શુક્રવારે સવારે 11થી 12 ધોબી મસ્જિદ ખાતે.

નખત્રાણા : ગોસ્વામી મીઠ્ઠાબેન (ઉ.વ. 105) તે સ્વ. ગોસ્વામી જીવણપુરી રામપુરીના પત્ની, ગોસ્વામી ડુંગરગિરિ વેલગિરિ (લાખાણિયા-અબડાસા)ના મોટા બહેન, ગોસ્વામી શંભુપુરી (ભુજ), ભવાનપુરી, લાલપુરી, સ્વ. ભગવાનપુરી (નખત્રાણા)ના માતા, પ્રભાબેન (ભુજ), સ્વ. કમળાબેન, નિર્મળાબેન, શારદાબેન  (નખત્રાણા)ના સાસુ, ગોસ્વામી મધુપુરી, હિતેશપુરી (ભુજ), નીલેશપુરી, રાજેશપુરી, કલ્પેશપુરી, મુકેશપુરી, રમેશપુરી, વિપુલપુરી, દીક્ષિતપુરી (નખત્રાણા), સ્વ. મીનાબેન, કોકિલાબેન, નિરૂપાબેન (નખત્રાણા), સુનીતાબેન (વિરા), ભારતીબેન (અંજાર), સીમાબેન (માંડવી)ના દાદી, વૈશાલીબેન, સીમાબેન, મીનાબેન, રીતુબેન, શીતલબેન, જાગૃતિબેન, બિન્દુબેન, હેમલતાબેન, રિનાબેનના દાદીસાસુ તા. 22-1-2025ના અવસાન પામ્યા  છે . બંનેપક્ષની પ્રાર્થના સભા તા. 24-1 -2025ના શુક્રવારે બપોરે 3થી 4 સાંઇ જલારામ મંદિર, આનંદ નગર, નખત્રાણા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માધાપર (તા. ભુજ) : મૂળ આધોઇના ગં.સ્વ. રંજનબેન જોષી (ઉ.વ. 52) તે સ્વ. નવીનચંદ્ર રતિલાલ જોષીના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન રતિલાલ જોષીના પુત્રવધૂ, ગં.સ્વ. લીલાવંતીબેન રવિલાલ જોષીના પુત્રી, જતિન જોષી (એડવોકેટ), પ્રિયંકાના માતા, ધર્મેશકુમાર નરેન્દ્રભાઇ જોષી (અંજાર)ના સાસુ, સ્વ. રમણીકલાલ, વિનોદભાઇ (માધાપર)ના નાના ભાઇના પત્ની, સ્વ. ધનસુખલાલ, ભરતભાઇ (અંજાર), કીર્તિભાઇ (માધાપર), વસંતબેન જગદીશભાઇ જોષી (લાકડિયા), ગં.સ્વ. કલ્પનાબેન કિશોરભાઇ વ્યાસ (માધાપર), હંસાબેન જિતેન્દ્રભાઇ પંડયા (અંજાર), મંજુલાબેન હસમુખભાઇ વ્યાસ (આદિપુર)ના ભાભી, સ્વ. વિમળાબેન, મિનાબેનના દેરાણી, ગં.સ્વ. ગીતાબેન, રીટાબેન, સ્વ. દક્ષાબેનના જેઠાણી, આનંદ રવિલાલ જોષી, ગં.સ્વ. હિનાબેન રાજેન્દ્રભાઇ અચાર્ય (મંગવાણા), ચંદ્રિકાબેન વાસુદેવભાઇ વ્યાસ (પાંતિયા), મિનલબેન અશોકભાઇ જોષી (માધાપર), ભારતીબેન અરૂણભાઇ ભટ્ટ (અંજાર)ના મોટા બહેન તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-2025ના સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

નારાણપર (તા. ભુજ) : તિલક સુરેશકુમાર મણિલાલ (ઉ.વ. 63) તે સ્વ. વિમળાબેન તથા લીલાવતીબેન મણિલાલ મોરારજી તિલકના પુત્રસ્વ. કૈલાસબેન ગિરધરલાલ શંકરલાલ આચાર્ય (રતનાલ)ના જમાઇની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના સાંજે 4થી 5 વૈષ્ણવ સમાજવાડી, મહાજન નગર, નારાણપર ખાતે.

લોરિયા (તા. ભુજ) : ભૂપતસિંહ દેવાજી જાડેજા (ઉ.વ. 43) તે ખેતાજી, બુધુભા, શિવુભા, સામતસિંહના ભાઇ, રાણાજી, માવુભા, સરૂપાજી અર્જુનસિંહ, બાવજી સુરતાજી, ભુરજીના કાકાઇ ભાઇ, સરૂપાજી પૂંજાજીના ભત્રીજા, નરેન્દ્રસિંહ, મહાવીરસિંહ, શંકરસિંહના કાકા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 27-1-2025ના આગરી અને તા. 28-1-2025ના મંગળવારે ઘડાઢોળ સવારે 10 વાગ્યે નિવાસસ્થાન લોરિયા ખાતે.

નખત્રાણા : મૂળ ગેચડાના જાડેજા ભમરસિંહ જાલમસિંહ (ઉ.વ. 97) તે સ્વ. નેતાસિંહ, સ્વ. ચીનુભાના મોટા ભાઇ, સ્વ. ખેતસિંહ, કરણસિંહના પિતા, સ્વ. ગેમરસિંહ, તણેરાજસિંહ, અજિતસિંહ, ઇન્દ્રસિંહ, સામતસિંહ, નુંધજીના મોટા બાપુ, કલ્યાણસિંહ, ચતુરસિંહ, કિશોરસિંહ, શંકરસિંહ, સહદેવસિંહ, મહાદેવસિંહ, મહાવીરસિંહ, રઘુવીરસિંહ, દેવેન્દ્રસિંહ, જુવાનસિંહ, પાબુસિંહ, રાજવીરસિંહના દાદા, જીવરાજસિંહના પરદાદા, સોઢા સ્વ. કરણસિંહ દલજી તથા લાલજી દલજીના મામા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 29-1-2025ના બુધવારે ઘડાઢોળ બારસ તા. 30-1-2025ના ગુરુવારે સહિત અંતિમ ધાર્મિકવિધિ નિવાસસ્થાન રામદાસનગર (વિરાણી રોડ) નખત્રાણા ખાતે.

ગુંદિયાળી/મસ્કા (તા. માંડવી) : ગં.સ્વ. નર્મદાબેન (ઉ.વ. 81)  તે સ્વ. બાબુલાલ કરસનજી લધા પેથાણીના પત્ની, સ્વ. કુવરબાઈ કરશનજી પેથાણીના પુત્રવધૂ, વિમળાબેન અરાવિંદભાઈ મોતા (નાગલપુર), જયશ્રીબેન શાંતિલાલ મોતા (લાલબાગ/અમદાવાદ), દમીબેન તુલસીદાસ મોતા (લાલબાગ), વેલજી, ગીતાબેન અરાવિંદભાઈ જોશી (ફરાદી), અનિલાબેન પંકજભાઈ જોશી (ફરાદી), પ્રતિમાબેન સંજયભાઈ જેસરેગોર (ભુજપુર)ના માતા, ભવાનજી, સ્વ. લીલાવંતીબાઈ, સ્વ. નાનબાઈ, પોપટલાલ, સ્વ. સવિતાબેન, ગં.સ્વ. ધનબાઈ, સ્વ. નર્મદાબેન, ગં.સ્વ કસ્તૂરબેન, નવીનચંદ્રના ભાભી, ભાવનાબેનના સાસુ, સુમિતા પંકિતભાઈ મોતા (ગુંદિયાળી), પ્રિયા મયૂરભાઈ બોડા (શેખાઈબાગ), નિકિતા, ઈશા, શિવના દાદી, સ્વ. હિરબાઈના દેરાણી, પ્રભાબેન, કલાવંતીબેનના જેઠાણી, જયેશ, દીપક, ગિરીશ, પ્રહલાદ, રિતેશ, વિશાલ, ભક્તિ, કોમલ, મીરા, હિરલ, ચાર્મી, ભાવિન, ચિંતાલી, યશ, સોમ્યના નાની, હિંમત, જગદીશ, કાંતિ, કીર્તિ, ધીરજ, બિપીન, શૈલેષ, જિજ્ઞેશ, હિરેન, રસીલાબેન, રેખાબેન, રશ્મિબેન, નિશાબેન, ભાવિબેનના કાકી, સ્વ. મણિબાઈ રામજી ચના મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. હીરબાઈ, મંગલદાસ, સ્વ. કાંતિલાલ, દયાશંકર, લક્ષ્મીદાસ, કલાવતીબેનના બહેન, વિજયાબેન, ગં.સ્વ. પ્રભાબેન, નિમુબેન, કસ્તૂરબેનના નણંદ, ભાવેશ, મયૂર, અનિલ, વેલજી, ભરત, પીયૂષ, વેલજી, જયેશ, અલ્પાબેન, રૂપલ, દીપુ, ચંદ્રિકાબેન, ધર્મિષ્ઠા, રશ્મિન, શીતલ, રમીલાના ફઈ તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1- 2025ના શુક્રવારે બપોરે 2થી 5 ગુંદિયાળી રાજગોર સમાજવાડી, શેખાઈબાગ ખાતે તથા માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા એ જ દિવસે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : સરકી ફરીદ (ઉ.વ. 17) તે શરીફાબેન રજાકના પુત્ર, તહેસીનબાનુ, સુહાનાબાનુ, અસરાબાનુ, કાસમ, કાદર, સમીર, અકબર, અસગરના ભાઇ, આમદ સિદ્ધિકના પૌત્ર, ભજીર હારુનના દૌહિત્ર, રજાક અને અબ્દુલ (બારોઇ)ના ભાણેજ, મ. રમઝાન, અબ્દુલ, શેરબાનુ, જેનાબેન, અભુભખર, મેમુનાબેન, ફાતમાબેનના ભત્રીજા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-1-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નાની ખાખર ખાતે.

ભાડા : મૂળ વવારના રાજબાઇ સામત ગઢવી તે સામત કલ્યાણ ગઢવીના પત્ની, ગોપાલભાઈ, સ્વ. ગાવિંદભાઈ, દેશાબેન હરિભાઈ ગઢવી (પાંચોટિયા), લક્ષ્મીબેન વાલજી ગઢવી (નાના લાયજા)ના માતા, વીરબાઈ ગોપાલ ગઢવી, સ્વ. સોનબાઇ ગાવિંદભાઈ ગઢવીના સાસુ, સવરાજ ગોપાલભાઈ ગઢવી, રામ ગોપાલભાઈ ગઢવી, લખમણ ગાવિંદભાઈ ગઢવી, કલ્યાણ ગાવિંદભાઈ ગઢવી, સાવિત્રી આનંદ ગઢવી (મસ્કા), ધનબાઈ ગાવિંદભાઈ ગઢવીના દાદી, સોનલ સવરાજ ગઢવી, આનંદ નાગશી ગઢવીના દાદીસાસુ, કપિલ, જિયાંશના પરદાદી, મીતના પરનાની તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ગામ ભાડા ખાતે.

વાંકી (તા. મુંદરા) : હિરેનભાઇ મકવાણા (ઉ.વ. 39) (પીજીવીસીએલ-દહીંસરા) તે સ્વ. કેશરબા ગગુજી મકવાણાના પૌત્ર, લક્ષ્મીબેન પૂંજાજીના પુત્ર, દીપાબેનના પતિ, સ્વ. રિશી, શ્રુતિના પિતા, કાનજી (પીજીવીસીએલ-મુંદરા), રસીલાબેન, રમીલાબેન, હિતેષ, જિગર, કલ્પેશ, કિરણ, આશાબેનના ભાઇ, જિજ્ઞાબેનના દિયર, જ્યોતિબેનના જેઠ, ઝીલ, શિવમના કાકા, સ્વ. મણિબેન દાદુજી જેસર, ગં.સ્વ. લીલાવંતીબેન લાલજી સોલંકી (ભુજ), જેન્તીલાલ (વાંકી જૈન તીર્થ), કિશોરભાઇના ભત્રીજા, આનંદભાઇ સોલંકી (ભુજ), હિતેષભાઇ ચૌહાણ (ભુજ)ના સાળા, શંભુભાઇ નારાણ સોલંકી (આસંબિયા)ના ભાણેજ, જમનાદાસ મંગલજી ચૌહાણ (નલિયા)ના જમાઇ, નિરલ, જયશ્રીબેન અતુભાઇ સોલંકી (મુલુંડ), ઉર્વશીબેન રીકિનભાઇ દૈયા (મિરજાપર)ના બનેવી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષનું બેસણું તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન વાંકી ખાતે તથા સાસરા પક્ષનું બેસણું તા. 25-1-2025ના શનિવારે સાંજે 4થી 5 નલિયા ખાતે.

વ્યાર (તા. નખત્રાણા) : પરમાબેન ગાંગજીભાઈ જેપાર (ઉ.વ. 75) તે ચાંપશીભાઈ, પૂંજાભાઈ, નારાણભાઈ, રામજીભાઈ, પુરબાઈ ખેંગાર બળિયા, નબુબેન મુરજી બળિયા, ગં.સ્વ. મેઘલબેન દેવજી બુચિયાના માતા, સ્વ. વાલાભાઈ નાથાભાઈ બળિયા (નાના નખત્રાણા)ના પુત્રી, લધા વાલા, પૂંજા વાલા, બાવા વાલા, થાવર વાલા, મંઘા વાલાના બહેન, ભોજાભાઈ નાનજીભાઈ જેપારના ભાભી, ટોપણભાઈ ભોજા, વેલજીભાઈ સામત, વેલજી ભોજા, સ્વ. ડાયાભાઈ ભોજા (ધનજી ડાયા)ના કાકી, ધારશીભાઈ લધા, પાલાભાઈ લખુ, ધિરાભાઈ-ધીરા લખુ, સ્વ. ચાપશી લખુ, રામજી પાલા, મોહન લઘાના પિતરાઈ કાકી, કાન્તાબેન છગન, ઊર્મિલાબેન વિનોદ, પારૂબેન વેલજી, મંજુલાબેન નરશી, પ્રવીણ, બાબુ, દિવ્યા, સામા, વિશ્રામ, વીરજી, વનિતા, નિર્મળા, જેન્તી, હિરજીના દાદી, વેદિકા, અંશ, કિંજલના પરદાદી તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 27-1-2025ના આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 28-1-2025ના  નિવાસસ્થાન વ્યાર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : આહીર રામીબેન રવાભાઈ બતા (ઉ.વ. 87) તે કરશનભાઈ, સ્વ. નાથાભાઈ, છગનભાઈના માતા, રામજી કરશન, અજિત નાથાભાઈ, દેવરાજ નાથાભાઈ, પ્રકાશ છગનભાઈ, રમેશ છગનભાઈના દાદી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું અજિત નાથાભાઈ ગોકુલવાસ ખાતે.

ગોધિયાર નાની (તા. નખત્રાણા) : સોઢા મીઠુભા નોઘણજી (ઉ.વ. 61) તે અનિરુદ્ધસિંહના પિતા, અંદરસિંહ, ભાણજી કરસનજીના મોટા ભાઇ, હીરજી, કલ્યાણસિંહ, પ્રતાપસિંહ, કરસનજી, નાથુસિંહ, સવાઇસિંહ, હાકમસિંહના મોટાબાપુના પુત્ર, ભચાજી, વાગજી, શેરસિંહ, ભૂરજી, હીરજીના ભત્રીજા, રાસુભા, સવાઇસિંહ, ભરતસિંહ, દીપસિંહ, ચેતનસિંહ, અનિરુદ્ધસિંહ, રવિરાજસિંહ, વનરાજસિંહ, અખેરાજસિંહ, રાજદીપસિંહના મોટાબાપુ, કુલદીપસિંહ, કરપાલસિંહ, નિર્મલસિંહ, રાજેન્દ્રસિંહ, પૂર્વરાજસિંહ, વિશ્વરાજસિંહ, શિવરાજસિંહના દાદા, સ્વ. જાડેજા નાનુભા વેલુભા (મોથાળા)ના જમાઇ તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 30-1-2025ના ગુરુવારે નિવાસસ્થાન નાની ગોધિયાર ખાતે.

મોરગર (તા. નખત્રાણા) : મહેશ્વરી સામજીભાઈ નાયાભાઈ (ઉ.વ. 77) તે ડેમાબેનના પતિ, શિવજીભાઈ, ખજૂરભાઈ, વેલજીભાઈ, પુરબાઈ વેલજીભાઈ ઠોટિયા મંજલ (તરા)ના ભાઈ, નરશીભાઈ, શંકરભાઈ, ભીમજીભાઈ, પુરબાઈ પરબતભાઈ રતડ (ભીટારા)ના પિતા, પચાણભાઈ, અમરતભાઈના કાકા, શાંતિલાલ, પંકજના મોટાબાપુ, વિનોદ, જગદીશ, કલ્પેશ, પરેશ, રોહન, હેત, પ્રિયા, જાગૃતિ, વંદના, પૂનમના દાદા, ખમુભાઈ રાયમલભાઈ પિંગલસુરના જમાઈ તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 26-1-2025ના રવિવારે સાંજે આગરી અને તા. 27-1-2025ના સોમવારે ઘડાઢોર (પાણી) નિવાસસ્થાને.

ભુજ : જયાબેન ગુલાબભાઇ રૂપારેલ (ઉ.વ. 75) તે સ્વ. ગુલાબભાઇ વેલજી રૂપારેલના પત્ની, સ્વ. કુંવરબાઇ વેલજી મકનજી રૂપારેલના પુત્રવધૂ, સ્વ. જમનાબેન ધરમશીભાઇ શિવજીભાઇ ગણાત્રા (બિટ્ટાવલાડિયા)ના પુત્રી, હિતેષભાઇ, લતાબેન નીતિનભાઇ ઠક્કર (ભુજ) (પીજીવીસીએલ), શર્મિલાબેન મિતેષભાઇ કોટક (રતનાલ હાલે અંજાર), પલ્લવીબેન સુરેશભાઇ ઠક્કર (કોટડા-ચકાર)ના માતા, ગીતાબેન હિતેષભાઇ રૂપારેલના સાસુ, પ્રાચીના દાદી, જેનિલ, રાજ, દિયા, દેવાંગના નાની, સ્વ. વસંતભાઇ, સ્વ. સૂર્યકાન્તભાઇ, શશિકાંતભાઇ, ઘનશ્યામભાઇ, કલાવંતીબેન ચંદુલાલ તન્નાના ભાભી, સ્વ. વંદનાબેન, ભાનુબેન, રંજનબેનના જેઠાણી, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. રામભાઇ, રમેશભાઇ, જગદીશભાઇ (પિરામિડ કન્સલ્ટન્ટ એન્ડ એન્જિનિયર્સ-ગાંધીધામ), ભગવતીબેન અરવિંદકુમાર કોટક (આસંબિયા નાના), ગં.સ્વ. ભાનુબેન યોગેશકુમાર ચંદન (ભુજ)ના બહેન તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ચૂડાસમા ચંદ્રાબા કેશુભા (ઉ.વ. 90) તે પ્રદુમનસિંહ ચૂડાસમા (નિવૃત્ત આચાર્ય, સરકારી માધ્યમિક શાળા-ભુજ), લખધીરસિંહ ચૂડાસમા (મુંદરા), સૂરજસિંહ ચૂડાસમા (આચાર્ય, એન.પી.એન. / કે.જી. માણેજ-અંજાર), સુશીલાબા ઝાલા (નાની ખાખર), મીનાબા જાડેજા (કાલાવાડ), હંસાબા ઝાલા (દાધોલિયા)ના માતા, સ્વ. ફતેહસિંહ ઝાલા, સ્વ. જગદેવસિંહ જાડેજા, અમરસિંહ ઝાલાના સાસુ, ઋષિરાજસિંહ, વિશ્વજીતસિંહના દાદી, અભયરાજસિંહ ઝાલા, ચતુરસિંહ ઝાલા (બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા), હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજાના નાની તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 પ્લોટ નં. 83-બીની બાજુમાં, કોમન પ્લોટ, મહાદેવ નગર, અંજાર ખાતે.

અંજાર : મૂળ ચાંદ્રોડાના હિરજીભાઇ નારાણ મહેશ્વરી (ફુફલ) (ઉ.વ. 48) તે રાણબાઇના પતિ, સ્વ. નારાણભાઇ ભોજાભાઇ ફુફલના પુત્ર, વાલજીભાઈના ભત્રીજા, સ્વ. લક્ષ્મણભાઇ, કાનજીભાઈ, રામજીભાઇના ભાઇ, ભરત (એન્જિ.), હરેશના પિતા, સ્વ. પચાણભાઇ અજાભાઇ કોચરા (ભગત)ના જમાઇ, અજય, આરતીબેન, ગંગાબેનના કાકા, રોહિત, અશ્વિન, સચિન, વિનોદ, સંજના, આરતીના મોટાબાપા, કાજલબેન, પ્રિયાબેનકૃપાલીબેનના સસરા તા. 21-1-2-025ના અવસાન પામ્યા છે. દીયાણો (પાણી) તા. 23-1-2025ના સવારે નિવાસસ્થાન, જૂની કોર્ટની પાછળ, મતીયાદેવ મંદિરની બાજુમાં, વિજયનગર, અંજાર ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ તુણાના ગુસાઇ રમીલાબેન (ઉ.વ. 63) તે સ્વ. ગુસાઇ રણછોડગિરિ રઘગિરિના પત્ની, હિતેષગિરિ, શારદાબેન અનિલગિરિ (નારાયણ સરોવર), સ્વ. કલ્પનાબેનના માતા, સ્વ. કાશીબેન ચંચલગિરિ, સ્વ. દમયંતીબેન મોહનગિરિ, ગં.સ્વ. પ્રભાબેન નારણગિરિના દેરાણી, ગં.સ્વ. પુષ્પાબેન નરશીગિરિના જેઠાણી, સ્વ. કાશીબેન ચતુરગિરિ (વીરા), સ્વ. શાન્તાબેન રણછોડપુરી (દેવરીયા)ના ભાભી, સ્વ. શંકરગિરિ ચંચલગિરિ, સ્વ. ભરતગિરિ મોહનગિરિ, ગં.સ્વ. જયશ્રીબેન જશવંતગિરિ, સંગીતાબેન, સંગીતાબેન જગદીશપુરી (નાગલપર), શીતલબેન દેવગિરિ (મિરજાપર), છાયાબેન જેન્તીગિરિ (ભુજ), ક્રિષ્નાબેન નવીનગિરિ, પલ્લવીબેન રાજેશગિરિ (ગાંધીધામ), સલાબેન રાજેશભાઇ (અંજાર), દક્ષાબેન બળવંતગિરિ, પ્રિયાબેન નારણગિરિ (અંજાર)ના કાકી, સ્વ. શીતલબેન અનિલપુરી, ઇલાબેન અમૃતગિરિ (મિરજાપર), મનીષાબેન પ્રફુલગિરિ (ભુજ), ડોલીબેન કમલેશગિરિ (ખેડોઇ), જિગરગિરિ નરશીગિરિના મોટીમા, કોમલ હિતેષગિરિના સાસુ, ગં.સ્વ. ગીતાબેન ભરતગિરિના કાકીસાસુ, સ્વ. રામબાઇબેન શંભુગિરિના પુત્રી, ગૌરીગિરિ, સ્વ. ધનગિરિના બહેન, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. ઉર્મિલાબેનના નણંદ તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાવેશ્વર મહાદેવ મંદિર, તળાવની પાળે, કિડાણા ખાતે તથા ઘડાઢોળ તા. 1-2-2025ના શનિવારે નિવાસસ્થાન કિડાણા ખાતે.

ફરાદી (તા. માંડવી) : રાજગોર મંગલદાસ રામજી (ઉ.વ. 78) તે સ્વ. વીરબાઇ રામજીના પુત્ર, કસ્તૂરબેનના પતિ, ભાવના, પ્રવીણ, નીલેશના પિતા, કલ્પના તથા પ્રફુલકુમાર (સુખપર)ના સસરા, રિયાના દાદા, ભીમજી, મહેન્દ્ર, લક્ષ્મીદાસ, ઝવેરબેન મણિશંકર મોતા, નર્મદાબેન કલ્યાણજી મોતા, દમયંતીબેન ઇશ્વરલાલ જોષી, અમરતબેન અરવિંદભાઇ મોતા, મણિબેન ચંદુલાલ મોતાના ભાઇ, ઝવેરબેન, રસીલાબેન, અનસૂયાબેનના જેઠ, રમેશ, ભાવેશ, વિમલ, વિવેક, સુમિત, મધુબેન નીતિનભાઇ નાકર, ઇન્દિરાબેન હિતેષકુમાર નાકર, દક્ષાબેન નીલેશકુમાર નાકર, રીટાબેન હિતેષ અજાણીના કાકા, સંજના, ઉર્વશી, નૈતિકના નાના, સ્વ. રતનબેન નરસિંહ વ્યાસ (ગુંદિયાળી)ના જમાઇ, સ્વ. નારાણજી, સ્વ. બાબુલાલ ચુનિલાલ વ્યાસના બનેવી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-1-2025ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે. સાસરા પક્ષની સાદડી તા. 24-1-2025ના સવારે 11થી 1 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ, ગુંદિયાળી ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd