વિશાખાપટ્ટનમ, તા. 7 : ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે
કહ્યંy છે કે,
વિરાટ કોહલી અને રોહિત શર્માએ દ. આફ્રિકા સામેની સિરીઝમાં એ કર્યું
જે તેઓ લાંબા સમયથી કરતા આવ્યા છે. વિરાટ અને રોહિત સાથે `કોલ્ડવોર'ના અહેવાલો વચ્ચે ગંભીરે
આશા વ્યક્ત કરી કે આગળ પણ તેઓ આવું જ યોગદાન આપતા રહેશે કારણ કે, પ0 ઓવરના ફોર્મેટમાં તેમનું પ્રદર્શન હંમેશાં મહત્ત્વપૂર્ણ
રહ્યું છે. અહેવાલમાં એવા દાવા થઇ રહ્યાં છે કે, કોચ ગંભીર સાથે રોહિત-વિરાટ વચ્ચે ખટરાગ
ચાલી રહ્યો છે. દ. આફ્રિકા સામેની વન-ડે
શ્રેણી જીત બાદ કોચ ગંભીરે બે બેટર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની પ્રશંસા
કરી હતી. બંનેને ઇજાગ્રસ્ત શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્થાને ટીમમાં જગ્યા મળી
હતી. બંનેએ એક-એક સદી કરી હતી. કોચે કહ્યંy કે, ઋતુરાજ અને યશસ્વી જેવા
ખેલાડીઓને મોકા મળતા રહેશે. યશસ્વીની શતકીય ઇનિંગ્સ વિશે કહ્યું કે, ડાબા હાથના આ ઓપનિંગ બેટરની કેરિયર સારી રીતે આગળ વધવાની અપાર સંભાવના છે.
જ્યારે ઋતુરાજની પ્રશંસામાં કહ્યું કે, દબાણમાં બેટિંગ
કરનારો તે શાનદાર ખેલાડી છે.