મુંબઇ, તા. 6
: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્ન કરી રહ્યા છે. જો કે લગ્ન પહેલાના
કાર્યક્રમો માર્ચ મહિનાથી ચાલી રહ્યા છે. અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ
સેન્ટરમાં અનંત અને રાધિકા માટે ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં નામી
બોલીવૂડ સેલિબ્રિટી સાથે ક્રિકેટર્સ પણ જોડાયા હતા. આ સમારોહમાં સૂર્યકુમાર યાદવ અને
હાર્દિક પંડયા સામેલ થયા હતા. જો કે હાર્દિક સાથે તેની પત્ની નતાશા સ્ટેનકોવિચ જોવા
મળી નહોતી. તેવામાં ફરીથી ચર્ચા થઈ રહી છે કે હાર્દિકના લગ્નજીવન યોગ્ય નથી. જો કે
હાર્દિક ટી20 વિશ્વકપ ખિતાબ જીતીને ઘરે પહોંચ્યો ત્યારે પોતાના પુત્ર અગત્સા સાથે જીતની
ઉજવણી કરી હતી. હાર્દિક સાથે કૃણાલ પંડયા પણ સમારોહમાં જોડાયો હતો.