• મંગળવાર, 30 એપ્રિલ, 2024

શિરાચામાં બિહારી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

ભુજ, તા. 1 : મુંદરા તાલુકાના શિરાચામાં ટાવર કોલોનીમાં પતરાંના રૂમમાં રહેતા મૂળ બિહારના 20?વર્ષીય યુવાન રામઅવતાર જમદાર મુશહર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ મૂળ રૂપનછાપ, જિલ્લો ગોપાલગંજ બિહારનો 20 વર્ષનો યુવાન રામઅવતાર મુશહર શિરાચામાં ટાવર કોલોનીમાં ભાડાંનાં પતરાંના રૂમમાં રહેતો હતો, તેણે ગઈકાલ બપોરથી રાત વચ્ચે કોઈ અગમ્ય  કારણોસર પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રૂમના એંગલમાં લૂંગી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang