ભારે વસ્તી ધરાવતા ભારતમાં વધતી જતી જનસંખ્યા હંમેશાં મોટાભાગની
સમસ્યાઓનું કારણ બનતી આવી છે. નાના પરિવારના
વિચારને ઉત્તેજન આપતી કુટુંબ કલ્યાણની યોજનાઓ પર દાયકાઓથી ધ્યાન અપાતું રહ્યંy છે, પણ તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યમાં જન્મદરને
વધારવાની પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી વિચારધારાના સંકેત આપ્યા છે. તેમણે વસ્તી
વધારવા માટે આર્થિક લાભની યોજના તૈયાર કરી છે. ચંદ્રાબાબુનું કહેવું છે કે,
જેટલો મોટો પરિવાર હશે એને એટલું મોટું આર્થિક અનુદાન મળશે. આંધ્રપ્રદેશમાં
નાયડુ આગાઉ મહિલાઓને મર્યાદિત માતૃત્વ રજાઓ અને કામનાં સ્થળે બાળકો માટે ખાસ સેન્ટરની
સુવિધાઓના લાભ આપી ચૂક્યા છે. પ્રથમ નજરે સામાજિક જણાતી આ યોજનાની પાછળ રાજકીય કારણ
હોવું નવતર ચિત્ર સામે આવી રહ્યંy છે. આ નવતર નીતિ માટે સંખ્યાબળનું રાજકારણ કામ કરી રહ્યંy છે. દક્ષિણના લગભગ તમામ રાજ્યોને ઓછી વસ્તીને
લીધે લોકસભાની બેઠકોના સીમાંકનમાં ઓછી બેઠકો મળવાની ભીતિ છે. તેમને એમ છે કે, ઉત્તર ભારતના રાજ્યોમાં વસ્તી વધુ હોવાથી નવા
સીમાંકનમાં તેમને લોકસભાની વધુ બેઠક મળી શકે છે. આ કરવાથી દક્ષિણ ભારતના રાજ્યોનું
રાષ્ટ્રીય સ્તરે વજન ઓછું થઈ શકે છે. હવે ચંદ્રાબાબુ દક્ષિણના અન્ય રાજ્યોને વસ્તી
વધારવાનાં પગલાં લેવા અપીલ કરી રહ્યા છે. જો કે, દક્ષિણ ભારતના
રાજ્યોએ જન્મના દરના રાષ્ટ્રીય આંકડા પર પણ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. 2021ના એક અહેવાલ મુજબ દેશમાં પ્રજનન
દર બેનો છે એટલે કે, એક દંપતીને
સરેરાશ બે બાળક છે. આમાં સૌથી ઓછો 1.4નો જન્મદર દિલ્હીનો અને પશ્ચિમ બંગાળનો છે. દક્ષિણના રાજ્યેમાં
આ દર 1.પથી 1.6 વચ્ચેનો રહે છે. આવામાં વસ્તી વધારવાના દક્ષિણના રાજ્યોની કોઈ
પણ જાતની પહેલ નવી સમસ્યા ખડી કરી શકે છે. આવનારા દિવસોમાં આ મુદ્દો રાષ્ટ્રીય સમસ્યા
બની શકે છે. વધતી જતી વસ્તીને લીધે ઊભા થતા પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન અપાઈ રહ્યંy છે, તેવામાં આંધ્રપ્રદેશની આ ઊલટી પહેલ કોઈ પણ હિસાબે વાજબી જણાતી નથી. દક્ષિણના
રાજ્યો તેને અનુસરે નહીં તે રાષ્ટ્રહિતમાં છે.