• રવિવાર, 15 જૂન, 2025

ગાંધીધામની જૂની સુંદરપુરીમાં મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગાંધીધામ, તા. 14 : શહેરમાં અગમ્ય કારણોસર  ભાવનાબેન મનોજભાઈ કન્નડ (ઉ.વ. 29)એ ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું હતું. ભચાઉ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી  મનુભાઈ દેવાભાઈ કોળી (ઉ.વ. 52)નું મૃત્યુ થયું હતું. શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા ભાવનાબેને ગત તા. 13/6ના 12.45 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં કપડાં જેવી ચાદર વડે  ગળેફાંસો હતો. રામબાગ હોસ્પિટલના ડો. મીરાબેન જેઠવાએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મહિલાએ કયાં કારણોસર આવું અંતિમ પગલું ભરી લીધું હશે, તે જાણવા  પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. મૃતકને આઠ વર્ષીય પુત્ર અને ચાર વર્ષીય પુત્રી હતી તેમજ લગ્નગાળો નવ વર્ષનો હોવાનું પોલીસે પરિવારજનોની નોંધને ટાંકીને જણાવ્યું હતું. ભચાઉ પાસે એસ.આર.પી. કેમ્પ  સામે નર્મદાની કેનાલમાં ગત તા. 13/6ના બે વાગ્યા પહેલાં કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા મનુભાઈ કોઈ કારણોસર કેનાલના પાણીમાં પડયા હતા. બનાવ પાછળનું કારણ જાણવા સહિતની દિશામાં પોલીસે તપાસ આરંભી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd