નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી આવતીકાલ રવિવારથી વિદેશયાત્રાએ જઈ રહ્યા છે. મોદી પાંચ દિવસમાં ત્રણ
દેશનો પ્રવાસ કરશે. સાઈપ્રસથી શરૂ કર્યા પછી કેનેડા અને ક્રોએશિયા જશે. આ પ્રવાસ યુરોપીય
સંઘ અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને હજુ વધુ સક્રિય અને મજબૂત કરવાની દિશામાં
મહત્ત્વનું પગલું મનાય છે. રાષ્ટ્રપતિ નિકોસ કિસ્ટોડુલાઈટસનાં નિમંત્રણ પર મોદી સાઈપ્રસ
જશે. આ છેલ્લા બે દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી સાઈપ્રસ યાત્રા હશે. ત્યારબાદ, મોદી છઠ્ઠીવાર જી-7 શિખર બેઠકમાં સામેલ થશે. યાત્રાના બીજા
તબક્કામાં વડાપ્રધાન માર્કકાર્નીનાં નિમંત્રણ પર વડાપ્રધાન મોદી 16 અને 17 જૂનનાં કેનેડામાં જી-7 બેઠકમાં ભાગ લેવા જશે.કેનેડાનાં કનાનાસ્કિસમાં
જી-7 શિખર બેઠકમાં મોદી જી-7 દેશો,
આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી, એઆઈ-ઊર્જા સંબંધ જેવા મુદ્દાઓ પર વિચાર-
વિમર્શ કરશે. યાત્રાનાં અંતિમ ચરણમાં 18મી જૂનનાં વડાપ્રધાન આંદ્રે પ્લેંકોવિચનાં આમંત્રણથી મોદી ક્રોએશિયા
જશે. ભારતીય વડાપ્રધાનની આ પહેલી યાત્રા હશે, જે યુરોપીય સંઘના સહભાગી દેશો સાથે સંબંધોને ઊંડા બનાવવાની પ્રતિબદ્ધતા રેખાંકિત
કરશે.