• રવિવાર, 15 જૂન, 2025

લખપતની સંસ્થાને દિલ્હીમાં એવોર્ડ અર્પણ

દયાપર (તા. લખપત), તા. 14 : તાલુકામાં કાર્યરત આયુષ સેવા સંસ્થાનને જિલ્લાના પછાત વિસ્તારમાં આરોગ્ય, રોજગારી તેમજ શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતના ક્ષેત્રમાં કામગીરી બદલ દિલ્હીની હ્યુમન રાઇટસ સંસ્થા રાની ફાઉન્ડેશન દ્વારા દિલ્હી ખાતે એવોર્ડ અપાયો હતો. સંસ્થાના સ્થાપક પ્રભુદાન ગઢવીએ કહ્યું હતું કે, પ્રજાના ઉત્કર્ષ માટે તેમજ કનડગત કરતા પ્રશ્નો માટે સંસ્થા હંમેશાં કામ કરતી રહેશે. તાલુકાની જમીનમાં ધરબાયેલ ખનિજના યોગ્ય ઉપયોગ દ્વારા સરહદ વિસ્તારની હિજરત રોકી શકાશે. સંસ્થા દ્વારા તાલુકામાં આરોગ્ય સેવા માટે અદ્યતન હોસ્પિટલ બની રહી છે, માનવ અધિકારોનું જતન, પશુપાલન, ઘરેલુ હિંસા, નશાબંધી, વ્યસનમુક્ત સમાજ, કુપોષિતની ટકાવારી ઘટાડવા જેવા મુદ્દા પર સંસ્થાએ કામ કર્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd