ભુજ, તા. 17 : ઘણા લાંબા સમયથી ભુજના બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત
રહેવાસીઓ દ્વારા સત્વરે રસ્તાઓની મરંમત કરવા માંગ ઊઠી હતી. દ્વિધામેશ્વર મંદિરથી ઉમેદનગર
જવાનો રસ્તો તથા રામધૂનથી વિજયરાજજી લાયબ્રેરીવાળા રસ્તામાં નાના-મોટા ખાડા અને પથ્થર
જેવા કાંકરા પાથરેલા હોતાં આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો
સામનો કરવો પડે છે. રોજ નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. કૃષ્ણાજી પુલ પરથી પસાર થતા
ભારે વાહનોને કારણે સર્જાતો વન-વે જેવો ટ્રાફિક પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરે છે.
વારંવાર તંત્રને રજૂઆત કરાતી હોવા છતાં કામગીરી ન થતાં ત્રસ્ત નગરવાસીઓ દ્વારા સત્વરે
મરંમતની કામગીરી કરવા માગ ઊઠી હતી તેવું બલરાજ જોશી તથા મિત જોશીની યાદીમાં જણાવાયું
હતું.