અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય સરકારના કર્મચારીઓ,
પેન્શનરો આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે સરકારે મહત્વપૂર્ણ
નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનરોને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને
ઓક્ટોબર માસની 23થી 25 તારીખ દરમિયાન આ મહિનાના
પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી
મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા
તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.