અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં
થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી
દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે, વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિગમાં ઘૂસી ગયું. જોરદાર વિસ્ફોટો,
આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં
241 મુસાફરોએ જીવ ગુમાવ્યા, ત્યારે આજે દુર્ઘટના સ્થળની મુલાકાતે આવેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમાન દુર્ઘટનામાં
ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર મુસાફર
રમેશ વિશ્વાસ કુમારને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું તેમજ
તેમની સાથે સંવાદ કર્યો હતો. હોસ્પિટલના પલંગ પર સૂતા વિશ્વાસ કુમારે પોતાની વાત જણાવી
હતી. તેમણે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક
વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે
બધું બંધ થઈ ગયું. શાંતિ, પછી અચાનક
લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી
શક્તિ લગાવી દીધી હતી. પછી એવું શું થયું કે ગતિ સીધી હોસ્ટેલ બિલ્ડિગમાં ગઈ હતી. વિશ્વાસે
કહ્યું કે વિમાનનો જે ભાગ મારી સીટ પર હતો તે ભાગ બિલ્ડિગના નીચેના ભાગ સાથે અથડાયો
હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા.
કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો હતો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો
તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ, તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી,
કદાચ કોઈ ત્યાંથી બહાર નીકળી શક્યું નહીં. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની
નજર સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને બધું બળી રહ્યું હતું.
આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ
તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડી સેકન્ડ
વધુ મોડું થયું હોત તો કદાચ હું પણ બચી ના શક્યો હોત.