નવી દિલ્હી, તા. 13 : અમદાવાદમાં
એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયા બાદ સ્થળ પર તાપમાન 1000 ડિગ્રી સે.સુધી પહોંચી ગયાનું અને નજીકમાં રહેલા પશુ-પક્ષીઓ
પણ રાખ થઈ ગયાનું સામે આવ્યું છે. અધિકારીઓ અનુસાર,
વિમાન દુર્ઘટના સ્થળે તાપમાન 1000 ડિગ્રી સે.સુધી પહોંચી ગયું હોવાથી બચાવ ઓપેરેશન ચલાવવામાં ભારે
મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ફાયર શાખાના એક અધિકારીએ જણાવ્યું કે જેવું વિમાન
ઈમારત સાથે ટકરાયું ઇંધણની ટેંક ફાટતાં મોટો વિસ્ફોટ થયો અને પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી.
થોડી જ વારમાં તાપમાન 1000 ડિગ્રી સે.
સુધી પહોંચી ગયું હતું. કોઈને બચવાની પણ તક મળી નહતી. નજીક રહેલા શ્વાનો અને પક્ષીઓ
પણ રાખ થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડનની ઉડાન હોવાથી આ બોઈંગ ડ્રીમલાઈનર વિમાનમાં લગભગ સવા લાખ લીટર
એર ટર્બાઈન ઈંધણ હતું. તેને લીધે વિમાન દુઘર્ટના સમયે મોટા વિસ્ફોટ બાદ વિકરાળ આગ ફેલાઈ
હતી.