નિરોણા, તા. 31 : પાવરપટ્ટીનાં
બિબ્બર ગામે શોર્ટ-સર્કિટને લીધે લાગેલી આગમાં એરંડાનો પાક અને ગાડું બળીને ભસ્મ
થયું હોવાની વિગતો મળી હતી. ગામના પાદરમાં ખરવાડ નજીક લાગેલી આગ ખેડૂત જાડેજા
કરસનજી સામતજીનાં ખળાંમાં એરંડાના પાકના મોટા ઢગલા સુધી પહોંચી હતી, જેમાં 25થી 30 ગૂણી
જેટલો એરંડાનો પાક બળીને રાખ થયો હોવાનું અગ્રણી ગજુભા જાડેજાએ જણાવ્યું હતું.
વધુમાં એમના કહ્યા મુજબ ખળાંમાં પડેલું જૂના જમાનાનું દેશી ગાડું પણ બળીને ભસ્મ થઇ
ગયું હતું. આમ, આગમાં આ ખેડૂતને આર્થિક નુકસાની થઇ હોવાનું કહ્યું હતું.