ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં મૈત્રી બગીચાના ગેટ પાસે મોબાઈલમા ગેમ રમતા એક કિશોરનું બે બુકાનીધારી શખ્સોએ અપહરણ કર્યું હતું. આદિપુરના મૈત્રી બગીચા પાસે ગત તા. 20/5ના સવારે 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં ચોકીદારી કરતા એક શ્રમિકનો સૌથી નાનો દીકરો રાધનપુર અભ્યાસ કરે છે. વેકેશન હોવાથી તે અહીં આવ્યો હતો. આ કિશોરના મામા આદિપુર રહેતા હોવાથી થોડાક દિવસથી તે આદિપુર આવ્યો હતો અને ગત તા. 20/5ના પોતાના સંબંધી ભાઈઓ સાથે મૈત્રી બગીચાના ગેટ બહાર જઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે નંબર વગરની બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોને રોકાવતાં આ શખ્સો કિશોર પાસે આવી વાત કરી પોતાની સાથે લઈ ગયા હતા. બાદમાં કિશોરનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.