• સોમવાર, 06 મે, 2024

લાખાપરની યુવતીનું પાકની ઝેરી દવાની અસરથી મોત

ભુજ, તા. 23 : લખપત તાલુકાના લાખાપરની 18 વર્ષીય યુવતી મીનાબેન મેઘજીભાઈ પરગડુએ પાકમાં છાંટવાની ઝેરી દવાનું ઢાંકણું  મોઢાંથી ખોલતાં ઝેરી અસરના લીધે મોત થયું હતું. બનાવ અંગે દયાપર પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ લાખાપરમાં પોતાની વાડીએ આજે સવારે 5થી 6 વાગ્યા દરમ્યાન મીનાબેન પાકમાં છાંટવાની દવાનું ઢાંકણું મોઢાંથી ખોલવા જતાં દવા પીવાઈ જવાથી તેને ઝેરી અસર થઈ હતી. આથી તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang