• રવિવાર, 19 મે, 2024

પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનો કોંગ્રેસનો કોલ

ભુજ, તા. 5 : પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાના કોલ સાથે કોંગ્રેસે શ્રમિક ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય સહિતની પાંચ ગેરંટી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દેખાડી હતી. રાપરમાં આયોજિત પરિવર્તન સંકલ્પસભામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ કોંગ્રેસના ઉમેદવારને પોતાનું સમર્થન દેખાડયું હતું. સભામાં મુખ્ય વક્તા જગદીશ ઠાકોર, યજુવેન્દ્રસિંહ જાડેજા, મહેશસિંહ રાજપૂત, ભચુભાઇ આરેઠિયા, ભીખુભાઇ સોલંકી વિગેરેએ નર્મદા, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ વિકસાવવા છતાં સ્થાનિક યુવાનો બેરોજગાર હોય સહિતના આક્ષેપ કરાયા હતા. પક્ષના સ્થાનિક આગેવાનો બળુભા જાડેજા, સુરેશભાઇ મકવાણા, ભરતભાઇ ઠક્કર, બાબુભાઇ દવે, દેવાભાઇ ડોડિયા, અશોક રાઠોડ, અજયપાલસિંહ જાડેજા, હરજીભાઇ કોલી, મનજી રાઠોડ, મહેન્દ્રસિંહ ઝાલા, કરશન મણવર, મુસાભાઇ હિંગોરજા, કરીમભાઇ, મહેશભાઇ ઠાકોર, ઉમેદભાઇ મકવાણા, પ્રતાપભાઇ ઠાકોર, ડાયાભાઇ આહીર, તુલશીભાઇ ઠાકોર, વાલાભાઇ આહીર, રણછોડભાઇ આહીર, મામદભાઇ નોડે, ઉર્મિલાબેન સુથાર, હેતુભા સોઢા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, સુખુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, ગોરાભાઇ રાજપૂત, દિનેશભાઇ ગોહિલ, રમજુભાઇ રાયમા, સિરાજ નોતિયાર, ખાનુભા જાડેજા, બળુભા જાડેજા, અનોપસિંહ વાઘેલા, જગુભા જાડેજા, દિનેશભાઇ ચંદે, પરબત ચૌધરી, પરમાભાઇ ચૌધરી, અમરશીભાઇ કોલી, મોરારભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ વાઘેલા, મનસુખ રાજપૂત, શિવાજી વાઘેલા, નરપતસિંહ વાઘેલા, નશાભાઇ ચૌધરી, ગોકળભાઇ ઠાકોર, ભીખાભાઇ મકવાણા, દિનેશગિરિ ગોસ્વામી, લવજીભાઇ માલી, રાજાભાઇ ગજોરા, પ્રકાશ ચૌધરી, સામતભાઇ રાજપૂત, રાયમલભાઇ દૈયા, સુનિલ માલી, નિલેશ ભરવાડ, જીવણ આહીર, સોમા કોલી, માદેવાભાઇ કોલી, સામતભાઇ ઠાકોર, પરેશભાઇ કોલી, ભીમજીભાઇ ખોડ, સંજયભાઇ ગોહિલ, વિનોદ ઠાકોર, અનિરુદ્ધસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેસરાભાઇ, બબાભાઇ રાજપૂત વિગેરે આગેવાનો કાર્યકરો,  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવું જિલ્લા પ્રવક્તા તથા લોકસભા મીડિયા કો-ઓર્ડિનેટર ગનીભાઇ કુંભાર તથા અંજલિ ગોરની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang