• શનિવાર, 18 મે, 2024

લોકશાહીને લાંછન : રાજરમત બનાવટી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નકલી વીડિયોની ફરિયાદ થયા પછી તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીને તપાસ માટે નવી દિલ્હીમાં હાજર થવાનું દિલ્હી પોલીસે જણાવ્યું છે. ભાજપનો આક્ષેપ છે કે, ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે બેહદ `નકલી અને વિક્ષિપ્ત' વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. નકલી વીડિયોમાં, તેલંગાણામાં ધાર્મિક આધાર પર મુસલમાનોનું આરક્ષણ સમાપ્ત કરવાનાં શાહનાં નિવેદનને તોડીમરોડીને એવી રીતે દાખવવામાં આવ્યું છે, જાણે તેઓ દરેક એસએસટી-પછાત વર્ગના આરક્ષણને ખતમ - બંધ કરી દેવાની જાહેરાત કરી રહ્યા છે! વાસ્તવમાં અમિત શાહે તો ઓબીસીના ક્વોટામાંથી મુસ્લિમ અનામત સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં હારથી ડરેલા વિપક્ષ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે. નકલી વીડિયો બનાવીને જુદાજુદા ઈન્ટેલિજન્સ મીડિયા પર મૂકી રહ્યા છે. વોટબેન્કનાં રાજકારણમાં કોંગ્રેસ પછાત વર્ગનાં આરક્ષણમાં મુસ્લિમ સમાજને સમાવિષ્ટ કરવા માગે છે અને ભાજપે જાહેરમાં કોંગ્રેસના પ્લાનનો પર્દાફાશ કર્યા પછી હવે કોંગ્રેસ નકલી વીડિયોથી અમિત શાહનાં ભાષણમાં ઉમેરા કરીને એવી છાપ ઊભી કરવા માગે છે કે, ભાજપ પછાત વર્ગનું આરક્ષણ ખતમ કરશે! કર્ણાટકમાં કોંગ્રેસે બંધારણ બદલવાની તથા એસટી/એસસી અને ઓબીસીના અધિકાર છીનવવાનું અભિયાન ચલાવ્યું છે. બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર નથી. સંદર્ભમાં અનામત માટેની ભાજપની નીતિ મતદારોને આકર્ષી રહી હોય એવા ડરથી કોંગ્રેસ હવે નકલી વીડિયો દ્વારા ભાજપની અનામતની નીતિને વિકૃત રીતે રજૂ કરી મતદારોને પોતાના ભણી વાળવા માગે છે, પણ મતદારો નાદાન નથી કે, આવા નકલી વીડિયોથી દોરવાઈ જાય. વાસ્તવમાં લોકસભા ચૂંટણીના બે તબક્કા શાંતિપૂર્ણ પાર પડયા પછી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં જણાવ્યું છે કે, બન્ને તબક્કા બાદ તેમનો પક્ષ આંતરિક મૂલ્યાંકન પ્રમાણે ભાજપ અને સાથી પક્ષથી મળીને 100થી વધુ બેઠક જીતી ગયો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જનતાના આશીર્વાદથી તેમનો પક્ષ 400નો ટાર્ગેટ પાર કરી લેશે. ભાજપ 200થી આગળ ચાલી રહ્યો છે એવાં નિવેદને વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસને હચમચાવી છે. જેને લઈ તેઓએ જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્નાના વીડિયો અને અમિત શાહના નકલી વીડિયોનો સહારો લઈ ભાજપ એનડીએની પ્રતિભા બગાડવાનો પ્રયાસ કર્યો છે. અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રજ્વલ રેવન્નાનાં પ્રકરણે ભાજપ દેશની માતૃશક્તિની સાથે છે.ચૂંટણી વખતે મતદારોને ભ્રમિત કરવા આવા ઉપાયો હાથ?ધરાય નિંદનીય છે. અમિત શાહનાં વીડિયો પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને નીચલાં સ્તરની રાજનીતિ માટે જે કોઈ જવાબદાર હોય તેઓને જલ્દી સળિયા પાછળ કરવા જોઈએ. લોકસભાની ચાર તબક્કાની ચૂંટણી હજી બાકી છે. તે પહેલાં નકલી વીડિયોનું સત્ય બહાર આવવું જોઈએ, જેથી લોકોને વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની ગંદી રાજરમતનો ખ્યાલ આવે. વડાપ્રધાન મોદીએ જનતાને સાવધાન કરીને વિપક્ષને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કોઈપણ સંજોગોમાં આવી ચાલબાજી નહીં ચલાવી લેવાય, સખત હાથે કાનૂની પગલાં ભરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang