• સોમવાર, 06 મે, 2024

લખપતના તલાટીની બાઇકની ઉઠાંતરી

ભુજ, તા. 23 : લખપત તાલુકામાં દયાપરમાં પાર્ક કરેલી લખપતના તલાટીની બાઇકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઇ છે. અંગે દયાપર પોલીસ મથકે લખપતના તલાટી કમ મંત્રી એવા સુરેશકુમાર નારણભાઇ ઉપાધ્યાય (રહે. ભકિતનગર, જિઓ ઓફિસ સામે, દયાપર, મૂળ એટા, જિ. બનાસકાંઠા) નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 21/4ના રાતે ભકિતનગર તેમના ઘરના કમ્પાઉન્ડમાં સ્પ્લેન્ડર બાઇક નં. જી.જે. -36- કે-3988 કિં. રૂા. 25000વાળી પાર્ક કરી હતી અને સવારે ત્યાં હતી નહીં. આમ અજાણ્યો ચોર ઇસમ બાઇક ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang