ભુજ, તા. 23 : લખપત તાલુકામાં દયાપરમાં પાર્ક કરેલી લખપતના તલાટીની બાઇકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે દયાપર પોલીસ મથકે લખપતના તલાટી કમ મંત્રી એવા સુરેશકુમાર નારણભાઇ ઉપાધ્યાય (રહે. ભકિતનગર, જિઓ ઓફિસ સામે, દયાપર, મૂળ એટા, જિ. બનાસકાંઠા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 21/4ના રાતે ભકિતનગર તેમના ઘરના કમ્પાઉન્ડમાં સ્પ્લેન્ડર બાઇક નં. જી.જે. -36- કે-3988 કિં. રૂા. 25000વાળી પાર્ક કરી હતી અને સવારે ત્યાં હતી નહીં. આમ અજાણ્યો ચોર ઇસમ આ બાઇક ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.