ભુજ, તા. 14 : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ
(આઈસીએઆર) કેન્દ્રીય શુષ્ક વિસ્તાર સંશોધન સંસ્થાન (કાઝરી) સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
(કેવીકે) કુકમા દ્વારા કચ્છના પાંચ વિસ્તારને સાંકળતા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું
તાજેતરમાં સમાપન થયું હતું. બે સપ્તાહ સુધી
ચાલેલા આ અભિયાન દરમ્યાન 90થી વધુ ગામના
10 હજારથી વધુ કિસાનો જોડાયા હતા.
કેવીકેના અવિનાશ બોચાલિયા (એસએમએસ-માટી વિજ્ઞાન) અને અલૌકિક મૌર્ય (એસએમએસ-ગૃહવિજ્ઞાન)ના
નેતૃત્વમાં તજજ્ઞોની ટુકડીએ ભુજ, અંજાર,
રાપર, નખત્રાણા અને ભચાઉનાં ગામોમાં ખરીફ પાકો
અંગે જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવી પર્યાવરણની રક્ષા સાથે ખેતીની સમજ આપવામાં આવી
હતી. કાઝરીના વૈજ્ઞાનિક ડો. એમ. સુરેશકુમાર દ્વારા કૃષિ ટેકનોલોજી, દુષ્કાળ પ્રતિરોધક ખેતી સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુકશા અંજમ
(એસએમએસ-પશુપાલન)એ વિજ્ઞાનસાધિત પશુપાલન, પશુઓના રોગ અને સૂકા
પ્રદેશમાં પશુઓની યોગ્ય સંભાળ અંગે વિગતો આપી હતી. મહાવીર (લેબ ટેકનિશિયન આરઆરએસ) અને
કેવીકેના ટેકનિકલ અધિકારી ડો. સીતારામ જાટે માટીના નમૂના અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું
હતું. પશુરોગ નિષ્ણાત ડો. આરતી કાપડી, ડો. ચિરાગ પરમાર,
ડો. જીત ચૌધરી, ડો. કટારા, ડો. એ.કે. મકવાણા અને ડો. ગિરીશ પરમાર,
ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓ, ઈફકોના અધિકારીઓએ
કિસાનોને વિવિધ વિષયે જાણકારી આપી હતી. આત્માના ગાયત્રીબેન અને વિપુલભાઈ, નાબાર્ડના નીરજકુમાર, એલડીએમ કચ્છ મિતેશ ગામીત અને વેલસ્પન
ફાઉન્ડેશનના ભૂપતભાઈ, લકુમ્બ, મુકેશભાઈ,
મનિષભાઈ, સહિતે સહયોગ આપ્યો હતો.