મુંદરા, તા. 14 : ભોરારા ગામે શાંતિનાથદાદા જિનાલયનો
સાતમો ત્રિદિવસીય ધ્વજારોહણ મહોત્સવ ઊજવાયો
હતો. આ વર્ષની સાતમી ધ્વજારોહણના દાતા માતા લીલબાઈ વિશનજી ગગુ દેઢિયા પરિવારની નિયાણી
બહેનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અચલગચ્છાધિપતિ આ. ભ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ના
આશિષ સાથે રાજરત્નસાગરજી મ. સા., પ્રિયંકરસાગરજી
મ. સા. આદિઠાણા-4, સા. તપોગુણાશ્રીજી
મ.સા. ઠાણા-2ની નિશ્રામાં ઉજવણી થઇ હતી.જિનાલયના નૂતન ગેટનું ઉદ્ઘાટન તેમજ વિધિમંડપની તક્તીનું અનાવરણ
ભૂમિદાતા આરવ, વીણાબેન વસંતલાલ શાહ (ભોરારા
હાલે મુંદરા) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. જિન મહાપૂજન વિધિ દીપકભાઈ કોઠારીએ
કરી હતી. અઢાર અભિષેક, સત્તરભેદી પૂજા, ધ્વજારોહણ વિધિકાર સંગીતકાર નીલેશ દેઢિયા-ગઢશીશા
અને સાથી કલાકારોએ કરી હતી. આગામી ધજાનો લાભ માતા હાંસબાઈ દેવજી દેઢિયા પરિવાર (ભોરારા-પરેલ)
કોશાબેન ક્ષીતિનભાઇ શેઠ પરિવાર હસ્તે કુ. પ્રાંશી, દીપલ સૌમ્ય,
અમદાવાદે લાભ લીધો હતો.વિવિધ પૂજા લાભ માતા ભાનુબેન દેવજી દેઢિયા,
ભાવિની ચિરાગ ખુશાલ મલાડ, માતા હેમકુંવરબેન રામજી
ગંગર-રતાડિયા ગણેશ, માતા ભાનુબેન દેવજી દેઢિયા-પાર્લા,
પ્રાંશી, દીપલ સૌમ્ય શેઠ-અમદાવાદ, તારાબેન ચૂનીલાલ-દેઢિયા, સોનલ વિજય, રિમ્પલ ચેતન, ફાલ્ગુની નીરવ-ઘાટકોપર, આરવ, વીણાબેન વસંતલાલ શાહ-ભોરારા, ઉષાબેન સુરેશચંદ્ર શાહ (સુરેન્દ્રનગર)એ તેમજ કામળી વોહરાવવાનો લાભ વનિતાબેન
તલકશી હરિયા-બાડાએ લીધો હતો. ચૂનીલાલ વી. દેઢિયા અને લક્ષ્મીચંદ ડી. દેઢિયા (એલ.ડી.)નું
સન્માન ધજાના લાભાર્થી પરિવારની નિયાણી બહેનો વતી શીલાબેન દીપક સાવલાએ આભારવિધિ કરી
હતી. સોહમ મનોજ, નવીન ભાણજી, જિતેન્દ્ર
પ્રેમજી, વિજય દેઢિયાએ જહેમત ઉઠાવી હતી. મુંદરા પાંજરાપોળ અને
ગૌશાળાના ટ્રસ્ટી નવીન મહેતા, હિરેન સાવલા, ભૂપેન્દ્ર એચ. મહેતા વિ.નું સન્માન થયું હતું.