અંજાર, તા. 14 : સરહદ ડેરી દ્વારા શ્વેત ક્રાંતિની
સફળતા બાદ હરિયાળી ક્રાંતિ તરફ ડગ માંડયા છે, જે અનુસંધાને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય
તેમજ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન
અંતર્ગત સરહદ ડેરી દ્વારા 75 હજાર વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૂલ ફેડરેશનના
વાઈસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરીના દૂધ શીત કેન્દ્ર તેમજ દરેક દૂધ
મંડળીઓ દ્વારા પશુપાલકોને વૃક્ષારોપણ કરવામાં આવે, તેના માટે
રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યંy છે. સરહદ ડેરીના કુલ 18 સેન્ટરની દરેક દૂધ મંડળીઓ અને પશુપાલકોને 75 હજાર રોપાનું વિતરણ કરવામાં
આવ્યું હતું અને હજી પણ રોપાનું વિતરણ ચાલી રહ્યંy છે. દરેક મંડળી સાથેસાથે પશુપાલકોને ઘરઆંગણે પશુપાલકો પોતે વૃક્ષારોપણ
કરી રહ્યા છે. વધતા જતા પ્રદૂષણનાં નિયંત્રણ અંગે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવીને સામાજિક જવાબદારીનું
પ્રેરણાત્મક કાર્ય કરવામાં આવી રહ્યંy છે. `સરહદ ડેરી' દ્વારા દરેક દૂધ મંડળી તેમજ પશુપાલકો સાથે વૃક્ષારોપણ
તેમજ તેનું ઉછેર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વૃક્ષોની વાવણી કરી અને કચ્છ
જિલ્લામાં હરિયાળી ક્રાંતિ સર્જવા માટે કચ્છની દૂધ મંડળીઓ તેમજ પશુપાલકોનો મોટો ફાળો
છે તેમજ લોકો વધુ વૃક્ષો વાવે અને તેનું ઉછેર કરે તે માટે `સરહદ ડેરી' પ્રચાર- પ્રસાર કરી જાગૃતિ લાવી રહી છે. વધુમાં
તેઓએ કહ્યંy કે, આજના દિવસે સરહદ ડેરી પર્યાવરણ ક્ષેત્રે નવીન
પહેલ સાથે આગળ આવી છે. ઈટીપી પ્લાન્ટની એનારોબિક પ્રોસેસ દરમ્યાન ઉત્પન્ન થતા બાયોગેસનો
ડેરી પ્લાન્ટના સ્વીટ સેક્શનમાં સદ્ઉપયોગ કરવામાં આવ્યો, જે સ્વીટ
સેક્શનમાં દરરોજના અંદાજિત 60 કિલો એલપીજી ગેસનો વપરાશ થતો હતો, જેની જગ્યાએ હવે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવશે,
જેના લીધે આર્થિક ફાયદો પણ થશે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પહેલ ચાલુ કરવાથી સાચા અર્થમાં સરહદ ડેરી પર્યાવરણ
ક્ષેત્રે પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી નીવડશે.