• સોમવાર, 16 જૂન, 2025

ગાંધીધામ મનપાના રોજંદારો દૈનિક 45 રૂપિયાનો વધારો મળવાની રાહમાં

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ મહાનગરપાલિકામાં અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા 220થી વધુ રોજંદારો દૈનિક 45.50 રૂપિયાનો વધારો પગારમાં મળવાની રાહ જોઈ રહ્યા છે. સરકારમાંથી આવેલા પત્રની વહીવટીતંત્ર દ્વારા અમલવારીમાં વિલંબ કરવામાં આવતાં વધારો મળ્યો નથી, જેના પગલે કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. રોજંદાર કર્મચારીઓને એક એપ્રિલથી આ વધારો આપવાનો છે. જૂન મહિનાના દસ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી પરિપત્રની અમલવારી થઈ નથી તેના કારણે કર્મચારીઓને પગારમાં આ વધારો મળતો નથી. અગાઉ નગરપાલિકા સમયે વર્ષ 2024ના બે મહિનાનું એરિયર્સ પણ ચૂકવવાનું બાકી છે ને કર્મચારીઓને લગભગ 1200 રૂપિયાની આસપાસના રૂપિયા ચૂકવવાના બાકી છે, જે હજુ સુધી આપવામાં આવ્યા નથી. તત્કાલીન સમયે નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનો હવાલો દેવામાં આવતો હતો. રૂપિયા સંબંધિત વાતચીતમાં તે સમયના જવાબદારો નગરપાલિકા ઉપર 50 કરોડથી વધુનું દેવું છે. તિજોરીમાં રૂપિયા નથી તેવા બહાના બતાવવામાં આવતા હતા અને કર્મચારીઓના પગારમાં પણ વિલંબ થતો હતો, પણ હવે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર છે. નિવૃત્ત કર્મચારીઓના બાકી નીકળતા રૂપિયાનું ઝડપથી ચૂકવણું થાય તે જરૂરી છે. આ ઉપરાંત રોજંદાર કર્મચારીઓને વધારો આપવામાં આવે તેવી પણ માંગ ઊઠી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd