• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભીરંડિયારા ટોલગેટ પર સ્થાનિકોને મુક્તિ આપવા માંગ

ભીરંડિયારા, તા. 23 : ભુજ-ધર્મશાળા નેશનલ હાઇવે નં. 341 પર ભીરંડિયારા પાસે આવેલ ટોલગેટ પર દ્વિચક્રી માટે અલગ વ્યવસ્થા તેમજ સ્થાનિક રહેવાસીઓને ટોલમુક્તિ આપવા માંગ કરાઇ છે. રણ ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે ટોલગેટમાં ટુ-વ્હીલર માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઇ નથી જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો બનતા હોય છે. તાત્કાલિક કતાર માટે પણ?અલગ સુવિધા બને કારણ કે રણોત્સવ આવી રહ્યો છે. અહીં ભીડ વધવાની છે. નેશનલ હાઇવે ઓથોરિટીના નિયમ મુજબ વ્યવસ્થા કરાય અને સ્થાનિક લોકોના હિત જોઇ તેમને ટોલટેક્સમાંથી મુક્તિ અપાય તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ કરાઇ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang