• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભચાઉમાં કામ કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી

ગાંધીધામ, તા. 23 : ભચાઉમાં કામ કરવા મુદ્દે બે પક્ષ વચે મારામારી થતાં બે લોકોને ઈજા પહોંચી હતી. બનાવ અંગે બન્ને પક્ષોએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ભચાઉના અંબિકા નગરમાં રહેનાર હેતલબેન કિશન સોલંકીએ મયૂર સુથાર, ડાયો રબારી, પ્રતાપ દેવીપૂજક  તથા અજાણ્યા સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મયૂર સુથારે તેમના પતિને બોલાવી તમારા કારખાનાંમાં પથ્થર ઉપાડવાનું કામ નહીં કરું તેમ કહી બન્ને વચ્ચે બોલાચાલી થતાં ફરિયાદી ત્યાં જતાં આરોપીએ તેમને ધક્કો આપી પાડી દીધા હતા. આરોપી અહીંથી ગયા બાદ અન્ય આરોપીઓને લઈ આવી ફરિયાદીના પતિ ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે મયૂર નીતિન સુથારે કિશન સોલંકી, તેની પત્ની, રમેશ આહીર તથા વિષ્ણુ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી બાઈક લઈને નીકળતાં કિશન સોલંકીએ તેને રોકાવ્યો હતો અને મારા કારખાને કામ કેમ નથી કરવું. તારા બાપા આ જ કામ કરતા હતા તેમ કહી ઉશ્કેરાઈ જઈને ધોકા વડે યુવાનને માર માર્યો હતો. ફરિયાદી ઘરે ગયા બાદ પોતાના મિત્રો સાથે પરત આરોપીના ઘરે જતાં આરોપીઆએઁ મળીને ધોકા વડે ફરિયાદી તથા તેના મિત્રોને માર માર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang