ભુજ, તા. 10 : વર્ષા
ઋતુનાં આગમનની ખુશી સાથે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા અને યોગ્ય નિકાલની વ્યવસ્થાના
અભાવે લોકોને ગંદકી, માખી-મચ્છરના ત્રાસનો સામનો કરવો પડે છે. ભુજના પ્રમુખસ્વામી નગરની
શેરી નં.-11 વિસ્તારમાં ઘણા વર્ષોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે. આ અંગે
વારંવાર નગરપાલિકાને ફરિયાદ કર્યા બાદ પણ કોઇ પગલાં લેવાયાં નથી. જો આ અંગે હજુ કોઇ
ઉકેલ નહીં આવે તો આરોગ્યને લગતી સમસ્યાઓ થવાની ભીતિ રહેવાસીઓએ વ્યક્ત કરી પાણી નિકાલ
માટે જેમ બને તેમ ઝડપથી વ્યવસ્થા કરવા માંગ કરાઇ હતી.