• રવિવાર, 28 એપ્રિલ, 2024

ધ્યાન અને યોગથી વ્યક્તિ પોતાના કૌશલ્યનો પણ વિકાસ કરી શકે છે

મુંદરા, તા. 27 : વ્યક્તિમાં રહેલા કૌશલ્યનો ધ્યાનના નિયમિત અભ્યાસથી વધુ વિકાસ થાય છે. એમ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સ્કિલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતી ડાયેટ એન્ડ ન્યુટ્રીશનની તાલીમમાં યોજાયેલા વર્કશોપ પ્રસંગે ધ્યાન અને યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું. અદાણી સ્કીલના ભુજ સેન્ટર દ્વારા યોજાયેલા વર્કશોપમાં સાંઇ આશીર્વાદ હોસ્પિટલ અંજારથી આવેલા સમાજસેવિકા અને મેડિટેશનના તજજ્ઞ યામિનીબેન ઠક્કરે કહ્યું કે, ધ્યાન એક વિજ્ઞાન છે, જેના દ્વારા માનવી પોતાના મનને એકાગ્ર કરી શકે છે, જેથી બુદ્ધિ બળવાન બને છે અને પ્રકારે સ્કીલનો પણ વિકાસ થાય છે. યોગાના તજજ્ઞ ગૌરી ઠક્કરે જણાવ્યું કે, યોગ એક જીવન જીવવાની કળા છે, જે જીવનશૈલી સુધારવા મદદરૂપ બને છે અને જીવનશૈલી સુધરે તો માનવીના રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. યોગ માનવને તેમનામાં રહેલી પરમ શક્તિ સુધી લઈ જાય છે અને સ્કીલનો વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે. સક્ષમના ભુજ સેન્ટર દ્વારા તાલીમ કાર્યક્રમને અનુરૂપ આવા ઉપક્રમ નિયમિત યોજાતા રહે છે. જે તાલીમના સમગ્રલક્ષી અભિગમને દર્શાવે છે. સમગ્ર આયોજન અને વ્યવસ્થા સક્ષમ સ્ટાફે સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang