• મંગળવાર, 07 મે, 2024

છાત્રોને નાપાસ થવાનો ડર નહીં રહે

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.  ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે. ઉપરાંત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. અહીં વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. ત્યારબાદ બન્ને વખતની પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.  તેવી રીતે ધોરણ 10માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલા એક વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે.   ધોરણ 12 માટે નિર્ણય ખૂબ મહત્વનો છે. આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ  કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા. પરંતુ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું નહીં બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang