• મંગળવાર, 07 મે, 2024

કચ્છમાં અકસ્માતમાં ચાર જીવન પૂર્ણ

ભુજ, તા. 26 : કચ્છમાં બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ચાર જિંદગી હોમાઈ હતી. ભુજ તાલુકાના ખાવડા માર્ગ પર અવાંતરે બનતા અકસ્માતની ઘટનામાં ઉમેરો કરતા વધુ એક જીવલેણ અકસ્માતમાં મૂળ બિહારના ઈકબાલ નિજામુદ્દીન અંસારી (.. 19)નું મોત નીપજ્યું હતું, જ્યારે અબડાસા તાલુકાના નલિયા પાસે બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં ખીરસરાના વિક્રમસિંહ જાલુભા સોઢા (.. 30) નામના યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ  રાપર તાલુકાના કાનમેર પાસે સર્જાયેલા અકસ્માતમાં પીયૂષ મોહન  પટેલનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે ગાંધીધામની ભાગોળે વાહન હડફેટે  રાહદારી પ્રભુભાઈ વિશ્વકર્માએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ખાવડા ધોરીમાર્ગ પર ટ્રક ચલાવીને જઈ રહેલા ઈકબાલે પોતાનું વાહન પૂરઝડપે હંકારી આગળ જતી ટ્રકના ઠાઠામાં ઘુસાડી દેતાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર માટે ખાવડાની હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કર્યો હતો. ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માંડવી-નલિયા ધોરીમાર્ગ પર બનેલા અન્ય એક બનાવમાં ખીરસરાનો વિક્રમસિંહ નામનો યુવાન સાંજના અરસામાં બાઈક લઈને કોઠારાથી નલિયા બાજુ જઈ રહ્યો હતો, ત્યારે એરફોર્સ સ્ટેશન નજીક આવેલા નિર્મલ ફાર્મ પાસે પહોંચતાં જીજે 12 બીઝેડ 6400વાળા ટ્રેઈલરના ચાલકે તેને હડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. અકસ્માત સર્જનારો ટ્રેઈલરચાલક વાહન છોડી નાસી ગયો હતો. કોઠારા પોલીસે મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમારા ગાંધીધામ બ્યૂરોના હેવાલ મુજબ, પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  કાનમેર પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 25ના સાંજે 5.30ના અરસામાં બન્યો હતો. ફરિયાદી કિરણભાઈ અને હતભાગી યુવાન મોગલધામ દર્શન કરીને પરત પાલનપુર  જતા  હતા . મૃતક આરોપી ગાડી પૂરઝડપે ચલાવી વાહનને ઓવરટેક કરવા ગયો  હતો. દરમ્યાન કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. યુવાનનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે સવાર યુવાનને ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, ગાંધીધામની ભાગોળે અકસ્માતનો બનાવ ગત તા. 10 માર્ચના સાંજના અરસામાં બન્યો હતો. હતભાગી રાહદારી પોતાના રૂમ ઉપર જવા માટે રસ્તો પસાર કરી રહ્યો હતો, ત્યારે બાઈકચાલકની ટક્કર તે ફંગોળાયો હતો. દરમ્યાન અજાણ્યા વાહનચાલકે તેને હડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓથી યુવાનનું ઘટનાસ્થળે  પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang