• રવિવાર, 28 એપ્રિલ, 2024

ડરાવવા, ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ : મોદી

નવી દિલ્હી, તા. 28 : દેશના આશરે 600 જેટલા વકીલો દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડને લખવામાં આવેલા પત્ર ઉપર નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે એક્સ ઉપર એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, બીજાને ડરાવવા, ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. મુદ્દે  મોદીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, પાંચ દાયકા પહેલાં તેમણે પ્રતિબદ્ધ ન્યાયપાલિકાનું આહ્વાન કરેલું. લોકો બેશરમીથી પોતાના સ્વાર્થ ખાતર બીજા પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છે છે પણ રાષ્ટ્ર પ્રત્યે કોઈપણ પ્રકારની કટિબદ્ધતાથી બચે છે. કોઈ આશ્ચર્ય નથી કે 140 કરોડ ભારતીયો તેમનો અસ્વીકાર કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang