• રવિવાર, 12 મે, 2024

મથલના પાટીદાર પરિવારને બેંગ્લોરમાં નડેલા અકસ્માતમાં મરણાંક ચાર

ભુજ, તા. 27 : મૂળ મથલના પાટીદાર પરિવારને 21મીના બેંગ્લોરમાં નડેલા અકસ્માતમાં મરણાંક ચાર પર પહોંચતાં પરિવારનો માળો પીંખાયો છે. મૂળ નખત્રાણા તાલુકાના મથલના શાંતિલાલ દેવશી પોકારનો પરિવાર બે પુત્રી સાથે ધંધાર્થે બેંગ્લોર સ્થાઈ થયો હતો. 21મીના રાત્રે પણ પરિવારની મારુતિવેનને તુમકુરુ - બેંગ્લોર ધોરીમાર્ગ પર અકસ્માત નડતાં વેનમાં આગ લાગી હતી. આથી શાંતિભાઈની 16 વર્ષીય પૌત્રી દિવ્યા તરુણ પોકાર કારમાં લાગેલી આગમાં ઘટનાસ્થળે ભડથું થઈ મૃત્યુ પામી હતી. અકસ્માતના પગલે કારમાં લાગેલી આગ થકી શાંતિભાઈના પુત્રવધૂ સુનીતાબેન તરુણ પોકાર તથા પૌત્રા મયંક તરુણ પોકાર અને નમન મહેશભાઈ પોકાર ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં મયંકનું બે દિવસ પૂર્વે અને સુનીતાબેન તથા નમનનું આજે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં પરિવારનો માળો પીંખાયો છે. દર્દનાક અકસ્માતના પગલે બેંગ્લોર પાટીદાર સમાજ તથા સ્થાનિક મથલ પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang