• રવિવાર, 28 એપ્રિલ, 2024

ચૂંટણી પહેલાં કાશ્મીરમાંથી સેના હટી શકે

નવી દિલ્હી, તા. 27 : લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ યોજાનારી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે એક મોટા નિર્ણયમાં જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્રીય દળો પાછા ખેંચી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસને સોંપવાનો સંકેત આપ્યો છે. જો કે, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સહિત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક રાજકીય અગ્રણીઓએ આને ચૂંટણી લક્ષી એલાન ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કરી દળો પાછા ખેંચવાના ઐતિહાસિક નિર્ણય અંગે વાત કરતાં કહ્યંy કે, કાયદો-વ્યવસ્થાના સંચાલન માટે જમ્મુ-કાશ્મીર પોલીસ પૂરતી હશે, એટલે આર્મિ અને સીઆરપીએફ દળોને પાછા ખેંચી લેવાશે. મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રી શાહે આવી વાત કહી હતી. વધુમાં તેમણે કહ્યંy કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બાદ કેન્દ્રીય દળોની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (એએફએસપીએ) પાછો ખેંચવા પણ વિચાર કરાશે. શાહના આવા એલાન અંગે માનવામાં આવે છે કે, જમ્મુ-કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો દાવ ખેલ્યો છે. મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370  નાબૂદી  બાદ પાકિસ્તાન સમર્થક ભાગલાવાદી તત્ત્વો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને શાસન-પ્રશાસનમાં જનભાગીદારી વધી છે. 019 પછી આતંકવાદ અને પથ્થરબાજીમાં ઘટાડો નોંધાયો છે. શાહની આવી વાત પાછળ જમ્મુ-કાશ્મીરની જનતા માટે મોટો સંદેશો છૂપાયેલો હોવાનું કહેવાય છે. સુપ્રીમ કોર્ટે 30મી સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપેલો છે, જેને ધ્યાને લેતાં ગૃહમંત્રી શાહનું આવું એલાન સૂચક છે.  જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય દળોની તૈનાતી અને એએફએસપીએ લાગુ હોવાથી ઘણી સખતાઈ દાખવવામાં આવે છે, જેથી સ્થાનિકો માને છે કે, રોજબરોજનાં જીવનમાં તેમને પૂરતી આઝાદી મળતી નથી. જો , આતંકવાદી અને ભાગલાવાદી ગતિવિધિઓને કારણે સુરક્ષા વ્યવસ્થા સજ્જડ રાખવી પણ એટલી જરૂરી છે. આર્ટિકલ 370ની નાબૂદી બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય દળોની વાપસીનો રસ્તો તૈયાર થઈ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang