ભુજ, તા. 13 : ચારેક માસ પૂર્વે વર્ષ 2024ના અંતિમ દિવસોમાં સુરતના હીરાઘસુ
પરિવારને સસ્તા સોનાની લાલચ આપી ઠગબાજ સિકલા અને ગેંગે સપડાવી 31.60 લાખની બેગ લૂંટી લીધાના ચકચારી
બનાવમાં આ ગુનાનો નાસ્તો આરોપી અરમાન નૂરમામદ અજણિયાને એલસીબીએ દબોચી લીધો છે. એલસીબીની
ટીમ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી તે દરમ્યાન હે.કો. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજિતસિંહ
જાડેજાને ખાનગી બાતમી મળતાં છેતરપિંડીના ગુનાના નાસ્તા-ફરતા આરોપી અરમાન નૂરમામદ અજણિયા
(રહે. માલધારીનગર, ભુજ)ને સેવનસ્કાય
સામે આવેલી ચાની હોટલ પાસેથી ઝડપી તેની પૂછતાછ કરતા તા. 1/1/25ના નોંધાયેલા છેતરપિંડીના ગુના
કામે તે આજ દિન સુધી નાસતો-ફરતો હોવાની કબૂલાત કરતા તેની અટકાયત કરી એ-ડિવિઝન પોલીસને
સોંપવામાં આવ્યો છે.