ભુજ, તા. 24 : રાજ્યના કૃષિ
અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આવતીકાલે તા. 25ના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ
શહેરના પશુરોગ અન્વેષણ એકમનું લોકાર્પણ કરી ટાઉનહોલ ખાતે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર
વિતરણ કરશે તેમજ પશુધન વસ્તીગતરીનો પ્રારંભ કરાવશે. શહેરના ટાઉનહોલ ખાતે સવારે 10 કલાકે
રાજ્યભરના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કારનું વિતરણ કરશે, ત્યારબાદ
રિલાયન્સ મોલ સામે મુંદરા રોડ સ્થિત પશુરોગ અન્વેષણ એકમનું લોકાર્પણ કરશે તેમજ 21મી પશુધન વસ્તીગણતરીનો પણ
પ્રારંભ કરાવશે.