• રવિવાર, 29 માર્ચ, 2026

ઈન્ડિગોનું એન્જિન હવામાં ફેઈલ થઈ જતાં યાત્રીઓના શ્વાસ અદ્ધર

નવી દિલ્હી, તા. 28 : ભારત દેશમાં હવાઈ સફર શ્વાસ અદ્ધર કરી દેતી હોવાની ઘટનાઓ બનતી રહી છે. આવી જ એક ઘાતક બની શકી હોત તેવી ઘટનામાં વિશાખાપટ્ટનમથી આવી રહેલાં ઈન્ડિગોનાં વિમાનનું એન્જિન હવામાં જ ફેલ થઈ જતાં તેમાં સવાર 161 યાત્રીના જીવ થોડીવાર તાળવે ચોંટી ગયા હતા. દિલ્હીમાં તાકીદનું ઊતરાણ કરાવાયા પછી મોતને આંખની  સાવ નજીક જોઈને આવેલા તમામ યાત્રીને તરત જ સુરક્ષિત ઉતારી લેવાયા હતા. ઈન્ડિગો એરલાઈન્સના પ્રવકતાએ કહ્યું હતું કે, યાંત્રિક ખામીની ખબર પડતાં જ પાઈલટે તરત ઊતરાણની મંજૂરી માગી હતી. સુરક્ષિત ઊતરાણ સુનિશ્ચિત કરવા માટે રનવે પર `પૂર્ણ કટોકટી' જાહેર કરી હતી. વિમાનને જરૂરી તપાસ અને સુધારા કરવા માટે મોકલી દેવાયું હતું. 

Panchang

dd