• રવિવાર, 21 જૂન, 2026

માધાપરનો સગીર બાળક ગુમ થતાં અપહરણની ફરિયાદ

ભુજ, તા. 20 : ગઈકાલથી  માધાપરમાંથી સાડા પંદર વર્ષનું સગીર બાળક ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે, મહાપ્રભુનગર ખાતે રહેતા પ્રભુભાઈ નાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સવારે તેમનો દીકરો ધ્રુવ માતા સાથે શાકભાજી લેવા ગયો હતો, જ્યાંથી ધ્રુવ ફરિયાદીના ભત્રીજા સંજયભાઈની દુકાને જેષ્ઠાનગર - ભુજ જાઉં છું કહીને નીકળી ગયો હતો અને રાત સુધી પરત ન ફરતાં સંજયને ફોન કરતાં ધ્રુવ તેની પાસે આવ્યો જ ન હોવાનું જણાવ્યું હતું. આ બાદ પરિજનોની પૂછપરછ અને શોધખોળ કરતા ન મળતાં માધાપર પોલીસ મથકે આવતાં પોલીસે વિગતો સાથે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd