• રવિવાર, 05 મે, 2024

કિડાણામાં આર્થિંગના ખીલાને અડી જતાં બાળકીનું મોત

ગાંધીધામ, તા. 25 : તાલુકાના કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં આરાધના હરિલાલ ધોળકિયા (.. 12)નું મોત થયું હતું. કિડાણાની સીમમાં આવેલા શંભુ ભીખા હુંબલના મીઠાના કારખાનામાં ગઇકાલે ઢળતી બપોરે બનાવ બન્યો હતો. કારખાનામાં મજૂરી કરતા કાકા પાસે બાળકી આરાધના આવી હતી, જ્યાં તે રમી રહી હતી. રમતાં રમતાં તે જમીનમાં દાટેલા અર્થિંગના ખીલાને ઉપાડવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ બાળકીને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang