• શનિવાર, 18 મે, 2024

નાના કપાયાની નર્મદા કેનાલમાં બિહારનો યુવક ડૂબ્યો

ભુજ, તા. 4 : મૂળ બિહારના સારન બાજુનો હાલે ગુંદાલા સીમની કોલોનીમાં રહેતો અને ખાનગી નોકરી કરતો 20 વર્ષીય યુવક અનિકેતકુમાર અજય રાવત ગઈકાલે નાના કપાયામાં નર્મદા કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. તેના મરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૂળ બિહાર અને હાલે મુંદરાના ગુંદાલાની સીમમાં સનસિટી કોલોનીમાં રહેતો અને ખાનગી નોકરી કરતો 20 વર્ષીય યુવક અનિકેતકુમાર અજય રાવતનું ગઈકાલે બપોરે 12.30 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે પ્રાગપર ચોકડી નજીક મોટા કપાયાથી ભોરારા તરફથી પાણી ભરેલી નર્મદા કેનાલ - મોટા કપાયામાં કેનાલનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. અનિકેતના મરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબીન હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang