• રવિવાર, 28 એપ્રિલ, 2024

ખારીરોહરનાં પાણીનાં વહેણમાં અજાણી મહિલાની લાશ મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 27 : અહીંના ખારીરોહરમાં એચ.પી.સી.એલ. કંપની પાછળ પાણીના વહેણમાંથી 40થી 45 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવતાં ચકચાર પ્રસરી હતી. ઉપરાંત રાપરના સુખપરથી દોઢ કિ.મી. ખારીયાવાળું તળાવની બાજુમાં 25થી 30 વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. ખારીરોહર એચ.પી.સી.એલ કંપનીના પાછળના પાણીના વહેણમાંથી ગઈકાલે બપોરે અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પાણીના વહેણમાં મહિલાનું મોત કેવી રીતે થયું અને તે કોણ છે તેનું કાંઈ હજુ બહાર આવ્યું નથી. એચ.પી.સી.એલ.ના સુનીલરામ ધ્યાન રાજપુત તેને હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલા કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તેવી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ રાપરના સુખપરથી દોઢ કિ.મી. દુર ખારીયાવાળુ તળાવની બાજુમાં પડતર જમીનમાં એક લાશ મળી આવી હતી.15 દિવસ અગાઉ 25થી 30 વર્ષિય યુવાનનું મોત થયું હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. રાની પશુઓએ યુવાનની લાશ ફાડી ખાતા તેના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. લાશ ઉપર ઈજાના દેખીતા કોઈ નિશાન નથી. મોતનું કારણ જાણવા વિશેરા વગેરે લેવાયા હોવાનું પીએસઆઈ બી.જી. રાવલે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang